SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સમદશી આચાર્ય હરિભદ્ર પહેલાંની અસંખ્ય ભૂમિકાઓને માત્ર સાત ભાગમાં વહેંચી સાત દષ્ટિઓ રૂપે વર્ણવી છે. આઠ દૃષ્ટિમાં પહેલી ચાર તે એવી છે કે જે એક રીતે ભોગ અને યોગની સીમા જેવી છે, જ્યારે છેલ્લી ચાર એ ખરેખર વેગનો પાકે પાયો નંખાયા પછીની છે. પહેલી ચારને એમણે એક જ “અદ્યસંવેદ્ય પદથી નિદેશી છે અને બીજી ચારને વેદ્યસંવેદ્ય પદથી. ૧૨ હરિભદ્ર કહે છે કે યોગતત્વના પાયાના સિદ્ધાન્ત જેવાં જે ચેતનનું સ્વતંત્ર અસ્તિત્વ ઈત્યાદિ ત છે તે અતીન્દ્રિય છે; એનો અડગ નિશ્ચય માત્ર શાસ્ત્રશ્રવણ જેવા ઉપાયોથી પણ સુસાધ્ય નથી. તે માટે સાધકે સસમાગમ, શાસ્ત્રશ્રવણ જેવા માર્ગો ઉપરાંત સ્વયં ઊહ કે ઊંડું મનન કરવું જરૂરી છે. જ્યાં લગી એ અતીન્દ્રિય તની પાકી પ્રતીતિ ન થાય, ત્યાં લગી સાધક યોગની દિશામાં હોય તોય તે સંવેદ્યપદ-તત્વને ન જાણતો હોઈ અદ્યસંવેદ્યપદની ભૂમિકામાં છે. પણ જ્યારે એને પોતાના સ્વતંત્ર ચેતન્ય આદિ અતીન્દ્રિય તત્તની અક્ષોભ્ય પ્રતીતિ થાય છે, ત્યારે તે વેદ્યસંવેદ્યપદની ભૂમિકામાં આવે છે. આ રીતે એમણે ગની પકવ ભૂમિકા અને તે પહેલાંની અપકવ કે અસ્થિર ભૂમિકાનું નિરૂપણ તે કર્યું, પણ એમની સામે મૂળ પ્રશ્ન તો એ છે કે ભોગાભિમુખતાથી પરામુખ થવાની પ્રારંભિક સ્થિતિથી માંડી એના વિકાસની આગલી બધી જ ભૂમિકાઓના તારતમ્યનું મૂળ કારણ શું ? આ કારણનું નિરૂપણ એ જ યોગદષ્ટિઓના નિરૂપણનું હાર્દ છે. ચેતન શારીરિક અને પ્રાણમય જીવનના અભ્યાસને લીધે પિતાના સહજ સમત્વકેન્દ્રને છોડી દે છે ને એવા જીવનોપયોગી અન્ય પદાર્થોમાં પિતાનું અસ્તિત્વ આરોપતો થઈ જાય છે. આ તેને પિતાની જાત વિશેને મોહ યા અજ્ઞાન. એ અજ્ઞાન જ તેને સમત્વકેન્દ્રથી ચુત કરી ઈતર પરિમિત વસ્તુઓમાં રસ લેત કરે છે. એ રસ તે જ રાગ-દ્વેષ જેવા કલેશનું પ્રેરક તત્વ. આમ ચેતન યા ચિત્તનું વૃત્તિચક્ર અજ્ઞાન અને લેશોના આવરણથી એટલું બધું રંગાઈ જાય છે કે
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy