SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગિપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–ર આદિનું દોષદર્શન નથી દેખાતું કે નથી દેખાતું મનને નિષ્ક્રિય કરવાનું એક પણ સૂચન. એમણે તે પરવૈરાગ્યને ધ્યાનમાં રાખી બને ગ્રંથમાં ગતત્વની પિતાની રૂપરેખા રજૂ કરી છે. ગદષ્ટિસમુચ્ચય'માં એમણે એ રૂપરેખા બે રીતે નિર્દેશ છેઃ પહેલી ઈછા, શાસ્ત્ર અને સામથ્થગ રૂપે;૧૦ અને બીજી મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એવી આઠ દૃષ્ટિ રૂ.૧૧ પહેલી રૂપરેખા સંક્ષિપ્ત છે. એ દ્વારા હરિભદ્ર કહે છે કે યોગતત્વ ભણી અભિમુખ થવું એ પ્રથમ સોપાન અર્થાત ઈછાયોગ. આધ્યાત્મિક વલણને જીવનમાં ઉતારવા અનુભવી યોગીઓના વચનનો કે સાક્ષાત ઉપદેશનો આધાર લેવો તે શાસ્ત્રયોગ. અનુભવીની દોરવણી અને પિતાના અખંડ ઉત્સાહ તેમજ પુરુષાર્થ દ્વારા સ્વાધીન સામર્થ આત્મસાત કરવું તે સામથ્થગ. ત્રીજા યોગમાં પહોંચનાર પછી કોઈ શાસ્ત્રયોગની યા પરાવલંબનની અપેક્ષા નથી રાખતા. આને અર્થ એવો નથી કે શાસ્ત્રગ ઉપયોગી નથી. એને અર્થ એટલો જ છે કે તે સામર્થ્યોગની પેઠે અતીન્દ્રિય આધ્યાત્મિક વસ્તુઓની પ્રતીતિ પૂર્ણતયા અને વિશેષરૂપે કરાવી નથી શકતો, પણ એવા સામર્થ્યોગમાં પ્રવેશવા માટેની પૂર્વતૈયારી વખતે એને પણ એની ચોક્કસ મર્યાદામાં ખાસ અધિકારી માટે ઉપયોગ છે જ. શ્રી. અરવિંદે “Synthesis of Yoga” નામના પિતાના પુસ્તકના Four Aids” એ નામના પ્રથમ પ્રકરણમાં જે રાત્રહ્માતિવર્તતેની વાત કહી છે, અને જે મહાભારત તેમજ ઉપનિષદમાં પણ નિર્દિષ્ટ છે, તે જ વાત હરિભદ્ર સામથ્થગ શબ્દધી સૂયવી છે. આ થઈ સંક્ષિપ્ત રૂપરેખા. પણ હરિભકે આ રૂપરેખાનો વિશેષ વિસ્તાર આઠ દૃષ્ટિના નિરૂપણ દ્વારા કર્યો છે. દષ્ટિ એટલે તત્ત્વલક્ષી બોધ. આવો બોધ એકાએક પૂર્ણપણે ભાગ્યે જ કોઈ વ્યકિતમાં પ્રગટે છે. એને પૂર્ણકળા પ્રાપ્ત કર્યા પહેલાં અસંખ્ય ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. છેલ્લી ભૂમિકાને પરાદષ્ટિ તરીકે ઓળખાવી તેમણે એ
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy