SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ યોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૨ - સંસ્કૃત છે, પણ તે “લલિતવિસ્તર ” અને “મહાવસ્તુ' આદિ જેવી સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર છે. આ ગ્રંથ ભારતમાં ઉપલબ્ધ ન હતું, પણ ગિલગિટના પ્રદેશમાંથી એક ભરવાડના છોકરાને બકરાં ચરાવતાં તે મળી આવ્યો, જેની સાથે બીજા પણ ડાક ગ્રંથ હતા. એ ગ્રંથનું સંપાદન કલકત્તા યુનિવર્સિટીના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. નલિનાક્ષ દત્ત યોગ્ય રીતે કર્યું છે અને તેની વિસ્તૃત ભૂમિકા પણ અંગ્રેજીમાં આપી છે. ચીન અને ટિબેટમાં એ ગ્રંથનું પહેલેથી જવું, ત્યાં તેની પ્રતિષ્ઠા અને કાશ્મીરના એક પ્રદેશમાંથી એની પ્રાપ્તિ, એમાં કનિષ્કના સમય સુધીમાં થયેલી ત્રણ ધર્મસંગીતિનો નિર્દેશ તેમજ તેની પ્રાકૃતમિશ્ર સંસ્કૃત ભાષા અને તેમાં લેવાયેલ શુન્યવાદનો આશ્રય, એ બધું જોતાં એમ લાગે છે કે એ “સમાધિરાજ' કાશ્મીરના કોઈ પ્રદેશમાં નહિ તો છેવટે પશ્ચિમેત્તર ભારતના કોઈ ભાગમાં રચાય હેવો જોઈએ. “સમાધિરાજ'ની પ્રતિષ્ઠા અને એને પ્રચાર એવાં હશે કે જેણે હરિભદ્ર જેવા જૈનાચાર્યનું ધ્યાન ખેચ્યું. જ્યારે હરિભદ્ર સર્વ યોગશાસ્ત્રોના આકલનની વાત કરે છે, ત્યારે ઉપર સૂચવેલ કેટલાક યોગાચાર્યોનાં નામ અને કેટલાક અજ્ઞાત ગ્રંથોના નિર્દેશ એમના એ કથનની યથાર્થતા પુરવાર કરે છે. હરિભદ્ર એ એક જ એવા છે કે જેમના કેગ વિષયક આ બે ગ્રંથોમાં, ઈતર કોઈના ગગ્રંથમાં ન મળે એવી, ઐતિહાસિક અને તુલનાત્મક સામગ્રી મળી આવે છે. જીવનના બે પ્રવાહો : એક ભાગ અને બીજો યોગ. પ્રાણીમાત્રમાં જે બહિર્મુખ ઈન્દ્રિયાનુસરણવૃત્તિ છે તેને અનુસરવું એ અનુચ્ચોવૃત્તિ યા ભોગપ્રવાહ. એવી વૃત્તિથી ઊલટી દિશામાં અંતર્મુખ થઈ પ્રયત્ન કરવો તે વેગ યા પ્રતિસોતવૃત્તિ. આ બે પ્રવાહો યા વૃત્તિઓની વચલી સીમા એવી હોય છે કે સાધક ક્ષણમાં ભોગાભિમુખ અને ક્ષણમાં યોગાભિમુખ પણ બને. ગાભિમુખતા ખરા અર્થમાં સિદ્ધ કરવી હોય ત્યારે અનેક ઉપાયેનું અવલંબન લેવું પડે છે. એમાં એક ઉપાય
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy