________________
વેગ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨
૭૯ આત્મા, ચેતન, જીવ યા ચિત્તતત્વનું ચેતનારૂપે સ્વતંત્ર અસ્તિત્વ; તેની સાહજિક શુદ્ધિ અને છતાં કલેશો તેમ જ અજ્ઞાનની વૃત્તિઓથી શુદ્ધિનું આવરણ; એ આવરણના કમિક હાસ દ્વારા અંતે પૂર્ણ ક્ષયની શક્યતા તેમ જ એ કમે શુદ્ધિ વિકાસક્રમનું આવરણોના નિવર્તક તેમ જ વિકાસક્રમના સાધક એવા અનેક ઉપાયોનો જીવનમાં અનુભવ તથા તેની કાર્યક્ષમતા–આ યોગતત્વ યા અધ્યાત્મસાધનાના મૂળભૂત સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત વિશે કોઈ પણ યોગ પરંપરાની વિપ્રતિપત્તિ નથી; તેની વિગતોમાં ભલે કવચિત્ મતભેદ દેખાતે હોય. તેથી જ હરિભદ્ર એ પાયાનાં તાને કેન્દ્રમાં રાખી પિતાની આગવી પરિભાષા અને ગ્રંથોમાં યોજી છે, અને તે દ્વારા તેમની નિરૂપણશૈલી પણું આગવી જ બની છે. ખૂબી તે એ છે કે બંને ગ્રંથોમાં પણ તેમણે એક જ પરિભાષા નથી સ્વીકારી. જાણે એમના મનમાં યોગતને લગતું અનુભવ-રસાયન એવું તૈયાર ન થયું હોય કે જે જુદી
જુદી રીતે જુદા જુદા ગ્રંથોમાં વ્યક્ત થઈ કૃતાર્થ થવા તત્પર હોય. - યોગદષ્ટિસમુચ્ચય'માં પહેલી યોગવિકાસના કમને લગતી પરિભાષા ત્રણ વિભાગમાં આપી છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થગ. ત્યારબાદ આગળ જતાં એ યોગતત્ત્વને આઠ દૃષ્ટિ યા આઠ પ્રકારના તારતમ્યવાળા ચડતા-ઊતરતા બેધના ક્રમમાં નિરૂપ્યું છે, જ્યારે “ગબિંદુ”માં ગતત્વને પાંચ ભાગમાં ગોઠવી તેનું સંપૂર્ણ ચિત્ર રજૂ કર્યું છે. બન્ને ગ્રંથની પરિભાષા સમજાવતી વખતે તે તે ગભૂમિને લગતી આવશ્યક બધી જ વિગતે તેમણે આપી છે. એ વિગત આપતી વખતે એમણે ખાસ ધ્યાન એ રાખ્યું છે કે તે મુદ્દા પર જુદી જુદી યોગ પરંપરાના આચાર્યો કેવા એકમત છે, અને તે બધા શબ્દભેદથી કેવી રીતે એક જ વસ્તુ કહી રહ્યા છે એ દર્શાવવું. સાંખ્ય-ગ, શિવ–પાશુપત, બૌદ્ધ અને જૈન એટલી પરંપરાઓના ગાચાર્યો અને તેમના અનેક ગ્રંથ હરિભદ્રની દષ્ટિ સમક્ષ છે જ. હરિભદ્ર પ્રસિદ્ધ યોગસૂત્રકાર પતંજલિને ભગવત