________________
સમદર્શી આચાર્ય હરિભદ્ર આ બીજા પદ્યમાં મધ્યસ્થ ગઝને ઉદ્દેશી કહ્યું છે કે યોગબિંદુ એ બધાં યોગશાસ્ત્રોનું અવિરેાધી યા વિસંવાદરહિત સ્થાપન કરનાર એક પ્રકરણ છે. આ કથનમાં ત્રણ બાબતે મુખ્ય છે: (૧) મધ્યસ્થ અને તે પણ યોગz. (૨) સર્વ યોગશાસ્ત્રોનો તાવિક રીતે અવિરધ. આ કથનમાં હરિભકે સંભવિત સર્વ યોગશાસ્ત્રોનું અવગાહન કર્યાની સૂચના છે. આવું અવગાહન બીજા કોઈએ કર્યું હોય તે તેનો પુરાવો આવો સ્પષ્ટ નથી. જોકે બધાં સારાં શાસ્ત્રોમાં સમાનવિષયક ગ્રંથોનું અવગાહન હોય છે, છતાં પાતંજલ કે બૌદ્ધ આદિ કોઈ એવું યેગશાસ્ત્ર નથી કે જેમાં સર્વ લભ્ય યોગશાસ્ત્રોનું દોહન કરી તાત્વિક અવિરોધ દર્શાવવામાં આવ્યો હોય, અર્થાત્ તુલના કરી હોય. (૩) “તત્ત્વતઃ ” અને “અવિરોધ” એ બે પદ અર્થવાહી છે. શાબ્દિક કે સ્થૂળ વિરોધ એ મહત્વનું નથી; જે વિરોધ મૂળગામી હોય તે જ વિરોધ કહેવાય. હરિભદ્ર કહે છે કે યોગશાસ્ત્રોમાં જે મૂળગામી અવિરધી વસ્તુ છે તેનું અત્રે સ્થાપન છે અને તે પણ યોગજ્ઞ મધ્યસ્થને ઉદ્દેશીને; બીજા માટે એવું સ્થાપન કાર્યકર નથી થતું. “પક્ષપાત ન મે વીરે' એ ઉદ્ગાર તેમને સ્વાભાવિક હોઈ અહીં પણ “મધ્યસ્થ” પદથી તે સૂચવાય છે.
योगदृष्टिसमुच्चय अने योगबिन्दु
ગદષ્ટિસમુચ્ચયમાં ૨૨૮ પડ્યો છે, જ્યારે યોગબિંદુ'માં ૫૨૭ છે. બધાં જ પડ્યો અનુટુપ છંદમાં છે. “ગદષ્ટિસમુચ્ચય'ની વ્યાખ્યા સંક્ષિપ્ત છે, પણ તે સ્વોપજ્ઞ છે; જ્યારે “યોગબિંદુ'ની વ્યાખ્યા પજ્ઞ હશે તેય તે જ્ઞાત નથી. ઉ૫લબ્ધ વ્યાખ્યા અન્યકૃત છે અને તેના કર્તાનું નામ અજ્ઞાત છે, પણ એકંદર એ વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. અલબત્ત, તેમાં મૂળ ગ્રંથનો આશય સમજાવવાનો ઠીક ઠીક પ્રયત્ન દેખાય છે, છતાં એમાં સંપ્રદાયગત છાપ કવચિત તરી આવે છે.