________________
પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ વિષયક પ્રસ્થાનેથી પણ વિશેષ પરિચિત અને જાણકાર હતા. તેથી તેમને એ સમય સુધીમાં બીજાને ભાગ્યે જ સૂક્યો હોય તેવો એક વિચાર આવ્યો લાગે છે. તે વિચાર એટલે જુદી જુદી પરંપરાઓમાં
ગતત્વ વિશે મૌલિક સમાનતા જ નહિ, પણ એકતા હોવા છતાં પરસ્પર સમજાતું કે મનાતું અંતર નિવારવું તે. હરિભદ્ર જોયું કે ખરો સાધક ગમે તે પરંપરાને હોય, છતાં એનો આધ્યાત્મિક વિકાસ તે એક જ ક્રમે થાય છે; તેનાં તારતમ્યવાળાં સોપાન અનેક સંભવે, પણ વિકાસની દિશા તે એક જ હોય છે. એટલે એનું નિરૂપણ જુદી જુદી પરિભાષાઓમાં હેય, એની શૈલી પણ ભિન્ન હય, છતાં એ નિરૂપણને આત્મા તો એક જ હોવાને. આ એમની દષ્ટિ અનેક
ગ પરંપરાઓના પ્રતિષ્ઠિત ગ્રંથોના પૂરા અને યથાર્થ અવગાહનને લીધે ઘડાયેલી લાગે છે. તેથી જ તેમણે નિશ્ચય કર્યો કે એવા ગ્રંથો લખવા કે જે સુલભ બધાં જ યોગશાસ્ત્રોના દેહનરૂપ હોય અને જેમાં કોઈ એક જ સંપ્રદાયમાં રૂઢ થયેલી પરિભાષા કે શૈલીને આશ્રય ન લેતાં નવી પરિભાષા અને નવી શૈલી એવી રીતે યોજવી કે જે દ્વારા અભ્યસ્ત બધી જ યોગ પરંપરાઓનાં યોગ વિષયક મૂળગત મંતવ્યો કેવી રીતે એક છે અથવા એકબીજાની તદ્દન નજીક છે એ દર્શાવી શકાય અને જુદા જુદા સંપ્રદાયમાં ગતત્વ વિશેનું જે પારસ્પરિક અજ્ઞાન પ્રવર્તતું હોય તેને યથાસંભવ નિવારી શકાય. આવા ઉદાત્ત ધ્યેયથી તેમણે પ્રસ્તુત બે ગ્રંથની રચના કરી છે. આપણે એમના ઉદ્ગારમાં જ એમનું ધ્યેય સાંભળીએ ઃ
अनेकयोगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिमेदेन योगोऽयमात्मानुस्मृतये परः ।। २०५॥
–ગદષ્ટિસમુચ્ચય, બ્લેક ૨૦૫ सर्वेषां योगशास्त्राणामविरोधेन तत्त्वतः । सन्नीत्या स्थापकं चैव मध्यस्थांस्तद्विदः प्रति ॥ २॥
–ગબિન્દુ, લેક ૨