________________
વ્યાખ્યાન પાંચમું ગપરંપરામાં આ, હરિભદ્રની વિશેષતા
આચાર્ય હરિભદ્ર વેગ પરંપરામાં શી શી અને કઈ કઈ વિશેષતા આણી છે એ અંગે ચોથા વ્યાખ્યાનમાં એમના બે પ્રાકૃત ગ્રંથને લઈ ટૂંકમાં સંકેત કરવામાં આવ્યું છે, પરંતુ યોગ પરંપરામાં એમણે જે અસાધારણ વિશેષતા અપી છે તે તો એમના ઉપલબ્ધ બે સંસ્કૃત ગ્રંથ દ્વારા જ જાણી શકાય તેમ છે. એ બે ગ્રંથો અનુક્રમે “ગબિંદુ” અને “યોગદષ્ટિસમુચ્ચય' નામથી જાણીતા છે. આ બે ગ્રંથમાં એમણે સાંગોપાંગ યોગતત્વનું જ નિરુપણ કર્યું છે. એમણે આ બે સંસ્કૃત ગ્રંથે ઉપરાંત બીજા પણ છોડશક' આદિ અનેક પ્રકરણગ્રંથોમાં ગતત્વની થેડીઘણું ચર્ચા તો કરી જ છે, પરંતુ પ્રસ્તુત બે ગ્રંથો એમની ગચર્ચા વિષયક નાની-મોટી બધી જ કૃતિઓથી તદ્દન જુદા પડે છે; એટલું જ નહિ, પણ એમના સમય સુધીમાં જે જુદી જુદી ધર્મપરંપરાઓએ યુગ વિષયક સાહિત્ય રચ્યું છે અને જે ઉપલબ્ધ છે તેમ જ જે મારા જોવામાં આવ્યું છે, તે સમગ્ર સાહિત્યની દૃષ્ટિએ પણ હરિભદ્રની પ્રસ્તુત બે કૃતિઓ ખાસ અનોખું સ્થાન ધરાવે છે. આમ જૈન અને જૈનેતર બધી જ જ્ઞાત પરંપરાઓની યોગ વિષયક કૃતિઓથી હરિભદ્રની પ્રસ્તુત કૃતિઓનું સ્થાન અનેખું છે, એમ જ્યારે કહેવું હોય ત્યારે એના સમર્થક બની રહે એવા થોડા પણ સબળ આધારો નિરૂપવા જ રહ્યા. આ વિચારથી છેલ્લા અને પાંચમા વ્યાખ્યાનમાં એવા આધારની ચર્ચા કરવા ધારી છે.
જૈન પ્રાચીન આગમોમાં પ્રતિપાદિત યોગ યા ધ્યાનને લગતી સમગ્ર વિચારસરણીથી હરિભદ્ર સુપરિચિત હતા. વધારામાં તેઓ સાંખ્યયોગ, શૈવ-પાશુપત અને બૌદ્ધ આદિ પરંપરાઓનાં યોગ