________________
૭૨
સમદર્શ આચાર્ય હરિભદ્ર ઉપર થયેલી છે. પણ હરિભદ્રની જે મૂળગતા સૂઝ છે તે આ સાંપ્રદાયિક ગણાય એવા ગ્રંથમાં આવ્યા વિના નથી રહી. એમાંથી બે-ત્રણ બાબતોનો નિર્દેશ પૂરતો ગણશે. હરિભદ્ર કહે છે કે જેણે હજી ધર્મની સાચી ભૂમિકા સ્પર્શ નથી, પણ માત્ર જે અભિમુખ છે, તેવા પ્રથમ અધિકારીને લેક અને સમાજ વચ્ચે રહેતાં આચરવાના ધર્મોનો ઉપદેશ આપવો જોઈએ, જેથી તે લૌકિક ધર્મથી વંચિત ન બને. આમ કહી તેઓ ગુરુ, દેવ, અતિથિ આદિના પૂજા-સત્કાર અને દીને દાન આપવાનું વિધાન કરે છે. ૨૬ નિવૃત્તિની દિશામાં વિશેષ ગૂંચવાયેલા સમાજમાં ઘણી વાર આવા આવશ્યક લૌકિક ધર્મની ઉપેક્ષા થવા લાગે છે. હરિભકે કદાચ આ વસ્તુ તે કાળના જૈન સમાજમાં જોઈ અને તેમને થયું કે આધ્યાત્મિક મનાતા નિવૃત્તિપરાયણ લોકોત્તર ધર્મને નામે લૌકિક ધર્મોને ઉછેદ કદી ઇચ્છવા જેવો નથી. તેથી જ તેમણે સમાજના ધારક અને પોષક બધા જ ધર્મોનું આચરણ આવશ્યક માન્યું. તેઓ જ્યારે ગુર, દેવ અને અતિથિના આદરસત્કારની વાત કહે છે, ત્યારે માત્ર જૈન ગુરુ, જૈન દેવ કે જૈન અતિથિની વાત નથી કહેતા; તેઓ તે વિદ્યા, કળા આદિ વિષયોને શીખવનાર બધા જ ગુસ્વર્ગ અને માતાપિતા તેમ જ અન્ય વડીલ વર્ગને ઉદ્દેશી કહે છે. એ જ રીતે સમાજમાં જુદા જુદા વર્ગ દ્વારા પૂજાતા બધા જ દેવને ઉદ્દેશી કહે છે અને અતિથિ. વર્ગમાં તેઓ બધા જ અતિથિનો સમાસ કરે છે. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં લૌકિક ધર્મો સગુણપોષક અને સદ્ગુણવર્ધક બને છે અને કમે તે સદ્ગણોના વિકાસ દ્વારા લેકોત્તર ધર્મનાઆધ્યાત્મિકતાના સાચા વિકાસમાં પ્રવેશ થઈ શકે છે, એ વસ્તુ તેમણે એક સહેલા દાખલાથી સમજાવી છે. તેઓ કહે છે કે અરણ્યમાં ભૂલે પડેલ મુસાફર કેડી મળવાથી જેમ મુખ્ય માર્ગે કમે આવી પહોંચે છે, તેમ યોગનો પ્રથમ અધિકારી પણ લોકધર્મોનું યથાવત પાલન કરતાં કરતાં સુસંસ્કાર અને વિવેક વધવાથી યોગના મુખ્ય