________________
ગ૫રંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ ભક્તિ આદિ તો, જે ઇતર યાગ પરંપરામાં બહુ જાણીતાં છે, તેને ઘટાવ્યાં છે, એટલું જ નહિ, પણ તેમણે રૂઢિવાદીઓને એ પણ સંભળાવ્યું છે કે બહુજનસંમતિ એ કાંઈ સાચા ધર્મ કે તીર્થનું લક્ષણ નથી. સાચે ધર્મ અને ખરું તીર્થ એ તો એક પણ માણસની વિવેકદૃષ્ટિમાં સમાયેલ છે. આમ કહી તેમણે લેકસંજ્ઞા યા ભાગનો ચેન નત પચા એને પ્રતિવાદ કર્યો છે. ૨૫ આ એક આધ્યાત્મિક નિર્ભયતા છે.
વોરાતરા, યોગશતકમાં જૈન તરીકે ઓળખાતા ધાર્મિક જીવનને ઉદ્દેશી વિચાર કર્યો છે. જેમ વૈદિક પરંપરામાં બ્રહ્મચર્ય, ગાઈશ્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમે છે, તેમ યથાર્થ જૈન જીવનના ચાર ક્રમવિકાસ વિભાગ છે. જૈનત્વ એ જાતિથી, અનુવંશથી કે કોઈ પ્રવૃત્તિવિશેષથી નથી મનાયું, પણ એ આધ્યાત્મિકતાની ભૂમિકા ઉપર મનાયું છે. જ્યારે કોઈ વ્યક્તિની દષ્ટિ મોક્ષાભિમુખ થાય છે, ત્યારે એ જૈનત્વની પ્રથમ ભૂમિકા. એનું પારિભાષિક નામ અપુનર્બન્ધક છે. મેક્ષ પ્રત્યેની સહજ શ્રદ્ધા-ચિ અને તેની યથાશક્તિ સમજણ એ સમ્યગ્દષ્ટિ નામની બીજી ભૂમિકા છે. જ્યારે એ શ્રદ્ધારુચિ અને સમજણ અંશરૂપે જીવનમાં ઊતરે છે, ત્યારે એ દેશવિરતિ નામની ત્રીજી ભૂમિકા. તેથી આગળ જ્યારે સંપૂર્ણપણે ચારિત્ર યા ત્યાગની કળા વિકસવા લાગે છે, ત્યારે એ સર્વવિરતિ નામની છેલ્લી ભૂમિકા. આ ચાર ભૂમિકાઓમાં સાધકે શું કરવું, શું વિચારવું અને આગળ પ્રગતિ કરવા કેમ મથવું એ વેગશતકમાં પ્રતિપાદિત છે. એક રીતે આ જૈન પરિભાષામાં જૈન પરંપરામાં ચાલ્યું આવતું વર્ણન છેજેમ ઈતર પરંપરાઓના યોગગ્રંથોમાં તે તે પરંપરાની પરિભાષામાં વર્ણન મળે છે. એટલે યોગવિંશિકા અને યોગશતક એ બને વિશે એટલું કહી શકાય કે તેની રચના જૈન પરંપરાના માળખા