________________
યોગપરપરામાં આ. હરિભદ્રની વિશેષતા—૧
૬૯
પ્રાચીન છે એ નિઃશંક હિરણ્યગર્ભના યોગશાસ્ત્રથી ચાલી આવતી સાંખ્યાવલંબી યાગપ્રથા ભગવદ્ગીતામાં બહુ જ સુરેખપણે અને કાવ્યમય શૈલીમાં મળે છે. આ રીતે ભગવદ્ગીતા અને પાતંજલ યોગશાસ્ત્ર એ એ પ્રથા એવા છે, જે સાંપ્યતત્ત્વાવલ`ખી યાગપ્રક્રિયાનું પૂરેપૂરુ· પ્રતિનિધિત્વ કરે છે.
મુદ્દે પોતાના ધ્યાનમાર્ગ વિકસાવ્યા અને તેને લગતી જે જે ચર્ચાઓ સૂચવી તે પાલિ પિટકામાં છૂટીછવાઈ મળે છે, પણ એ બધી નાની-મોટી વિગતાને યાગ્ય રીતે સંગ્રહ બુધાષે પેાતાના વિશુદ્ધિમામાં કર્યો છે. તેમાં જે શીલ અને સમાધિને લગતાં પ્રકરણા છે તેમાં બૌદ્ધ સમાધિશાસ્ત્રનું પૂણું હાર્દ આવી જાય છે. બુધેષના આ સ્થવિરમાગી ગ્રંથ ઉપરાંત મહાયાન પરંપરામાં તે વિષયના અનેક ગ્રંથા છે, જેમાં સમાધિરાજ, દશભૂમિશાસ્ત્ર અને ખેાધિચર્યાંવતાર ખાસ વિશિષ્ટતા ધરાવે છે. સ્થવિરવાદી અને મહાયાની પરપરાના એ ગ્રંથે બૌદ્ધ તત્ત્વજ્ઞાનાવલંબી સમાધિમાનું પ્રતિનિધિત્વ કરે છે.
પાર્શ્વનાથથી પ્રચલિત અને મહાવીર દ્વારા પુષ્ટ થયેલ તામાની સાધના સવર તરીકે ઓળખાય છે. એ સવરનાં જુદાં જુદાં અગા આગમામાં મળે છે, પણ એ બધાં જ અંગ-પ્રત્યગાનું સુશ્લિષ્ટ સંકલન વાચક ઉમાસ્વાતિએ પોતાના તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કયુ છે. એ એક જ ગ્રંથ જૈનતત્ત્વજ્ઞાનાવલખી સાધનામાનું પૂરેપૂરું પ્રતિનિધિત્વ કરે છે. બૌદ્ધ અને જૈન પરપરાના જે જે ગ્રંથા ઉપર સૂચવ્યા તેમાં વસ્તુતિએ તેા પાતંજલ યોગશાસ્ત્રમાં નિરૂપાયેલ ચતુર્વિધ યાગની પ્રક્રિયા જ શબ્દાંતરથી કે પરિભાષાભેદથી નિરૂપાઈ છે. એટલે એમ કહી શકાય કે બધી જ આધ્યાત્મિક સાધનાએ કાઈ એક જ મૂળગત પ્રેરણાના આવિર્ભાવા છે.
વિક્રમના આમા-નવમા સૈકામાં થયેલ હરિભદ્રને અધ્યાત્મ