SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર પ્રવૃત્તિશીલ એવી ઇન્દ્રિયના અનુગમન કે પારધંચથી મુક્ત કરી મનને એવી રીતે સ્થિર કરવું કે જેથી ઇન્દ્રિયો પિતે જ મનની અનુગામી કે મનપરતંત્ર બને–આ ધ્યાન યોગ. ઉપર સૂચિત ત્રણે યોગ દ્વારા મનની જ્ઞાનકળા એટલે સુધી વિકસાવવી કે તે દ્વારા મન પિતાનું અંતર બરાબર જાણી-સમજી શકે અને પિતામાં ક્યાં કલેશો કઈ કઈ રીતે કામ કરે છે અને તે પોતાના તથા પરના જીવનમાં કેવી રીતે ખલેલ પાડે છે એ યથાર્થ રીતે સમજી શકે તેમ જ એ કલેશનું મૂળ શું છે ને તે કેવું છે એને પકડી શકે–આ જ્ઞાનયોગ. પાતંજલ યોગશાસ્ત્રના પ્રથમ પાદમાં ઈશ્વરપ્રણિધાન, ૨૧ વીતરાગધ્યાન અને જપ૩ જેવાં વિધાનોથી ભક્તિયોગ સૂચવ્યો છે. બીજા પાદમાં તપ, સ્વાધ્યાય અને યમ-નિયમનાં જે સ્વરૂપે વર્ણવ્યાં છે તથા પ્રથમ પાદમાં મૈત્રી, કરુણા આદિ જે ચાર ભાવનાઓ દર્શાવી છે તે દ્વારા કમગ સૂચવાય છે. પ્રથમ પાદમાં એકતત્ત્વાભાસથી પ્રારંભી ધૂળ, સૂક્ષ્મ, અણુ કે મહત એવા કોઈ પણ વિષયમાં મનને રોકવાનો અને ક્રમે ક્રમે એ ધારણાની સ્થિતિથી સમાધિ સુધીની સ્થિતિ સાધવાને જે વિધિ નિરૂપ્યો છે તે ધ્યાનયોગ છે. અંતરનિરીક્ષણ દ્વારા પિતામાં પડેલા કલેશો અને તેનાથી અભિભૂત થયેલી સાહજિક શક્તિઓનું પૃથકકરણ કરાવે એવા વિકજન્ય જ્ઞાનને સિદ્ધ કરવાનો જે સંયમ ત્રીજા પાદમાં સૂચવ્યું છે તે જ્ઞાનયોગ છે. આ રીતે પાતંજલ યોગશાસ્ત્ર એ ચતુર્વિધ યોગને નિરૂપતું એક અવિકલ ગશાસ્ત્ર છે. પંતજલિએ પોતાના સુપઠ અને પારદર્શી સૂત્રોમાં ઉક્ત ચાર યોગોને કેન્દ્રમાં રાખી બધી જ ચર્ચા કરી છે. એની આ ચર્ચા એ પૂર્વકાલીન અનેક યોગશાસ્ત્રોના દેહનનું અને સ્વાનુભવનું પરિણામ છે. પંતજલિ પહેલાં અનેક સાંખ્ય યોગીઓ થઈ ગયેલા છે. તેમાં હિરણ્યગર્ભનું નામ મોખરે છે. ૨૪ એનું શાસ્ત્ર કે એનો ઉપદેશ એ હિરણ્યગર્ભગ નામથી ઉલ્લેખાય છે. એને સમય નક્કી નથી, પણ તે ઘણો જ
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy