SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ યોગપરપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ FO અને જીવઅહુત્વવાદને સબંધ વ્યવહારમાં આવી તેની દેખાય છે. તપ અને સવર્ નામથી જે સાધના જાણીતી થઈ તેની સાથે પરમાણુ દેખાય છે, અને જે સાધના વેદાંત તરીકે સાથે મુખ્યપણે અદ્વૈત બ્રહ્મના સંબંધ ઉપર સૂચવ્યું છે તેવા તત્ત્વજ્ઞાનને ભેદ હતા; સાધનાનાં નામેામાં પણ ભેદ ચાલતા; છતાં એ દરેક સાધનાઓનાં માર્ગો અને અંગાને વિચાર કરીએ છીએ ત્યારે એ દેખાય છે કે કાઈ એ પોતાની સાધનામાં અમુક અંગને કે અમુક પદ્ધતિને પ્રાધાન્ય આપ્યું હાય, તે ખીજાએ બીજા અંગ કે ખીજી પદ્ધતિ ઉપર વધારે ભાર આપ્યા હોય એટલું જ. પણ એવી કાઈ આધ્યાત્મિક સાધના નથી દેખાતી કે જેમાં સાધનાના અંગ લેખે વિકાસ પામેલ આચાર અને વિચારાને એક યા બીજી રીતે સમાસ થયા ન હેાય. તત્ત્વજ્ઞાન, સંપ્રદાયા અને સાધકાની ભિન્નતા છતાં આધ્યાત્મિક સાધના એક જ છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે તેને ભાવ શે છે એ અત્રે સમજી લેવું જરૂરી છે. જીવન સાથે અનિવાય રીતે વણાયેલાં કે જડાયેલાં જે જે માંગલિક તત્ત્વ છે. તેને આવરનાર મળેા કે લેશેાને નિવારવાનેા સતત પ્રયત્ન કરવા એ જ આધ્યાત્મિક સાધના. આ સાધનામાં મુખ્યપણે ભક્તિ, ક્રિયા–કમ, ધ્યાન અને જ્ઞાન એ ચાર ચિત્તગત ગુણા વિકસાવવાના હેાય છે. ઈશ્વર, વીતરાગ કે અન્ય કાઈ ઉદાત્ત આદર્શોને સતત સંમુખ રાખી નિષ્ઠાપૂર્વક જીવનવ્યવહાર ચલાવવા તે ભક્તિયોગ. શારીરિક અને માનસિક જીવન એવી રીતે જીવવું કે જેથી શરીર નીરાગ અને સબળ રહે અને સાથે સાથે મન ક્લેશાના આધાત ન અનુભવે; એ જ રીતે પોતે જે સમાજ કે સમષ્ટિમાં જીવતા હોય તે સમાજ કે તે સમષ્ટિને પેાતાના વન–વિચારથી ત્રાસ કે બાધા ન પહોંચાડવાં—આવી જીવનકળા તે ક્રિયા યા કયાગ. બાહ્ય આકષ ક ભાગ્યવિષયામાં સતત
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy