________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર બાહ્ય તપ ગમે તેવું કઠોર હોય, છતાં એની સાર્થકતા અંતસ્તપ ઉપર અવલંબિત છે. તેથી તેમણે પોતાના તપમાર્ગમાં બાહ્ય તપને અંતસ્તપના એક સાધન તરીકે જ સ્થાન આપ્યું. ૧૮ આને લીધે કદાચ તેમનામાં પ્રતિક્રિયા ન થઈ. ગોશાળકનું જીવનવૃત્ત મળે છે તે તે જૈન અને બૌદ્ધ ગ્રંથો દ્વારા, છતાં એમાંથી એટલે સાર તો નીકળે જ છે કે ગોશાળક પોતે અને એમને આજીવક બમણુસંધ નગ્નત્વ ૧૯ ઉપર વધારે ભાર આપતા. - બુદ્ધ, ગોશાળક અને મહાવીરની પેઠે બીજા પણ અનેક શ્રમણધર્મના નાયકે તે કાળે હતા. એમાં સાંખ્ય પરિવ્રાજકનું વિશિષ્ટ સ્થાન હતું. એ પરિવ્રાજકે પણ તપ-ત્યાગ ઉપર ભાર આપતા જ, છતાં એમાં કેટલાક એવા સાધક હતા જે મુખ્યપણે ધ્યાનમાર્ગી હતા અને ધ્યાન કે યોગના વિવિધ માર્ગોને અનુસરતા. બુદ્ધે પોતે જ એવા સાંખ્ય ગુરુઓ પાસેથી ધ્યાનની શિક્ષા લીધેલી.૨૦ એટલાથી પણ એમને સંતોષ ન થયો, ત્યારે કેટલીક ધ્યાનની નવી પદ્ધતિઓ પણ એમણે અજમાવી. આ રીતે બુદ્ધથી જ ધ્યાલક્ષી બૌદ્ધ પરંપરા શરૂ થઈ સાંખ્ય પરિવ્રાજકની ધ્યાનપ્રક્રિયા બેગ નામથી વિશેષ જાણીતી થઈ અને બુદ્ધની ધ્યાનપ્રક્રિયા સમાધિ નામથી વ્યવહારાઈ,
જ્યારે આવક અને નિગ્રંથ પરંપરાની સાધના તપ નામથી વ્યવહારાતી; છતાં નિગ્રંથ પરંપરામાં એ માટે સંવર શબ્દ વિશેષ પ્રચારમાં આવ્યું. આમ યોગ, સમાધિ, તપ અને સંવર એ ચાર શબ્દ આધ્યાત્મિક સાધનાનાં સમગ્ર અંગ-ઉપાંગને સૂચવનાર તરીકે વ્યવહારમાં પ્રતિષ્ઠા પામ્યા છે.
દરેક આધ્યાત્મિક સાધક પિતાની સાધના કોઈ ને કોઈ પ્રકારના તત્ત્વજ્ઞાનને અવલંબીને જ કરતો. તત્ત્વજ્ઞાનની મુખ્ય ત્રણ શાખાઓ છે: (૧) પ્રકૃતિ-પુરુષ દૈતવાદી, (૨) પરમાણું અને જીવબહુત્વવાદી, (૩) અદૈત બ્રહ્મવાદી. જે સાધના યોગ નામથી જાણીતી થઈ તેની સાથે મુખ્યપણે પ્રકૃતિ-પુરુષ દૈતવાદનો સંબંધ દેખાય છે; સમાધિ,