________________
પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૧ કઈ રૂપે સચવાયેલી આજે પણ છે. અવધૂતગીતા, એ કે અર્વાચીન ગ્રંથ છે, પરંતુ તેમાં અવધૂતનો થોડોક ખ્યાલ મળી રહે એવી વિગતે પણ નોંધાયેલી છે. જૈન અને બૌદ્ધ પરંપરામાંય એ અવધૂતનું સ્વરૂપ સચવાયેલું છે, અને ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક સાધનાના એક ઉપાય તરીકે એ ચર્યાને આદર કરવામાં આવ્યો છે. આચારાંગ, જે ઉપલબ્ધ જૈન આગમમાં વધારે પ્રાચીન લેખાય છે, તેમાં એક અધ્યયન (પ્રથમ શ્રુતસ્કંધનું છઠું) છે, જેનું નામ જ ધૂત' છે. એમાં ઉત્કટ ત્યાગીની જીવનચર્યાને ઉગારે છે, જે જૈન પરંપરામાં અન્યત્ર વર્ણિત ઋષભદેવ કે મહાવીરના જીવનની ઝાંખી કરાવે છે. બૌદ્ધ પરંપરામાં જેકે જૈન પરંપરાની પેઠે તપ ઉપર કે દેહદમન ઉપર ભાર આપવામાં નથી આવ્યો, છતાં એમાંય સમાધિના ઉમેદવાર માટે પ્રથમ કેવું જીવન આવશ્યક છે તે દર્શાવતાં ૧૩ ધૂતાંગે વિસ્તારથી વર્ણવાયેલાં મળે જ છે. ધૂતાધ્યયનમાંની જૈન ચર્યા અને ધૂતાંગના વર્ણનમાં આવતી બૌદ્ધ ચય તેમ જ અવધૂત પરંપરાના વર્ણનમાં આવતી અવધૂત યોગીની ચર્યા એ ત્રણેનું તુલનાત્મક અધ્યયન કરનારને એમ જણાયા વિના નહિ જ રહે કે આ ત્રણે ફાંટાઓ મૂળમાં એક જ પરંપરાના તીવ્ર-મૃદુ આવિર્ભાવો છે; જૈન અને બૌદ્ધ પરંપરામાં અવધૂતના સ્થાનમાં “ધૂત” પદ વપરાયું છે એટલું જ. આમ છતાં પ્રાચીન અવધૂત પદ તપસ્વી, યોગી કે ઉત્કટ સાધકના અર્થમાં એટલું બધું રૂઢ થઈ ગયેલું કે કબીર અને જૈન સાધક આનંદઘન જેવી પણ પોતાની કૃતિઓમાં અવધૂ” પદ વારંવાર વાપરે છે.’
જૈન આગમાં અનેક સ્થળે તાપસનું વર્ણન છે. મહાભારત ૧૦ અને પુરાણમાં પણ તાપસના આશ્રમની વાત આવે છે. આ તાપસની ચર્યા દેખીતી રીતે વિશેષ દેહદમનારાયણ છે, છતાં અવધૂતની ચર્યા કરતાં એ મળી છે. તાપસો પણ નગ્ન કે નગ્ન જેવા રહેતા, મૂળ, કંદ, ફળ આદિ ઉપર નભતા અને અન્ન લે તેય