________________
ગપરંપરામાં આ હરિભદ્રની વિશેષતા-૧ એક એવા અદ્ભુત તપસ્વીની ન ભૂંસાય એવી ચિરકાલીન છાપ પડેલી છે. મહાદેવના એ લેકમાનસસ્થિત પ્રતિબિંબને જ્યારે આપણે ઐતિહાસિક યુગના અને વર્તમાન યુગના અનેક સાધકોના જીવન સાથે સરખાવીએ છીએ, ત્યારે એટલું તો લાગે જ છે કે મહાદેવના પૌરાણિક જીવન સાથે સંકલિત ગચર્યા એ ભારતીય જીવનની જુનામાં જૂની એક આધ્યાત્મિક સંપત્તિ છે. આ સંપત્તિને વિકાસ કઈ કઈ રીતે થયું તે હવે ટૂંકમાં જોઈએ.
જે જે ક્રિયા, જે જે આચાર અને જે જે અનુકાનેથી અસાધારણ ઓજ, બળ કે શક્તિ પ્રગટવાનો સંભવ મનાય છે, તે બધી જ ક્રિયાઓ, આચારો અને અનુકાનો તરૂપે વ્યવહારતાં આવ્યાં છે. એમ લાગે છે કે તપનું સ્વરૂપ ધૂળમાંથી સૂમ ભણી ક્રમે ક્રમે. વિકસ્યું છે, અને જ્યારે તપનો સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ અર્થ વિકસ્યો અને વિરલ સાધકના જીવનમાં સાકાર થયો, ત્યારે પણ એનાં સ્થળ અને બાહ્ય અનેક સ્વરૂપે સમાજમાં અને ધર્મસંપ્રદાયોમાં પ્રચલિત રહ્યાં જ છે. તપનાં સ્થળ અને બાહ્ય સ્વરૂપમાં ઓછામાં ઓછી નીચેની બાબતોનો સમાસ થાય જ છે : (૧) ગૃહવાસ છોડી વન, ગુફા, સ્મશાન કે શુન્ય જેવાં વિવિક્ત સ્થાનમાં રહેવું. (૨) સામાજિક વેશભૂષાનો ત્યાગ; જેને લીધે કાં તે નગ્નત્વ અને જે વસ્ત્ર ધારણ કરવામાં આવે તેય તે જીર્ણકથાપ્રાય અને અતિઅ૮૫. (૩) કાં, તે જટાધારણ અને કાં તે સર્વથા મુંડત. (૪) અનશનવ્રતને. આગ્રહ અને અશન કરવું હોય ત્યારે પણ તેની માત્રા બને તેટલી ઓછી અને તે પણ નીરસ. (૫) નાના પ્રકારનાં દેહદમનો. આ અને આના જેવી બીજી અનેકવિધ ચર્યાએ તે કાળના તપસ્વીઓ આચરતા. એમ લાગે છે કે તેમનું લક્ષ મુખ્યપણે મનને જીતવાનું અને તે દ્વારા કોઈ ઐહિક કે પારલૌકિક સિદ્ધિ મેળવવાનું હતું જ; છતાં બહુ પ્રાચીન કાળમાં એ તપના પ્રકારે દેહદમનની સ્થૂળ ક્રિયાએથી બહુ આગળ વિકસ્યા ન હતા. પણ એમાં વિચારનું તત્ત્વ