________________
વ્યાખ્યાન ચોથું ગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૧
આ. હરિભદ્ર સાહિત્ય અને તેની પરંપરામાં શી શી અને કેટલી વિશેષતા આણી છે, તેને કાંઈક ખ્યાલ આવે તે દૃષ્ટિથી એ જોવું જરૂરી છે કે પ્રાચીન સમયથી આ પરંપરા કઈ કઈ રીતે વિકાસ પામતી રહી છે અને તેનું સાહિત્ય કેવી રીતે ખેડાયું છે.
ઈસ્વીસન પૂર્વે લગભગ આઠમા સૈકાથી માંડી ઉત્તરવર્તી સમયનો ખ્યાલ વધારે સારી રીતે આપે એવું સાહિત્ય તો ઉપલબ્ધ છે જ. તે પહેલાંના સમયને લઈ યોગને વિચાર જાણવો હોય તે કેટલેક અંશે પુરાતત્વીય અવશેષો અને કેટલેક અંશે લોકજીવનમાં જેનાં ઊંડાં મૂળ નખાયાં છે તેવી પ્રથાઓ તેમ જ પૌરાણિક વર્ણનને આધાર લેવો અનિવાર્ય છે. બહુ પ્રાચીન સમયમાં “ગ” શબ્દ કરતાં “તપ” શબ્દ બહુ જ પ્રચલિત હતો. એમ લાગે છે કે માનવીય જીવન સાથે તપનો મહિમા કોઈ ને કોઈ રીતે સંકળાયેલ છે જ; તેથી જ આપણે જોઈએ છીએ કે કોઈ એવી પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન ધર્મસંસ્થા દુનિયામાં નથી કે જેમાં એક યા બીજે રૂપે તપનો આદર ન જ થતો હોય. સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં જે નગ્ન આકૃતિઓ મળી આવે છે તે કોઈ ને કોઈ તપસ્વીની સૂચક છે એમ સૌ સ્વીકારે છે. અનેક વિચારકો એમ કપે છે કે નન્દી અને બીજાં સહચર પ્રતીકેનો સંબંધ જોતાં તે નગ્ન આકૃતિઓ મહાદેવની સૂચક હોવી જોઈએ. આ દેશમાં મહાદેવ એક યોગી, તપસ્વી યા અવધૂત તરીકે જાણીતા છે. પૌરાણિક વર્ણનોમાં અને લોકજીભે મહાદેવનું જે સ્વરૂપ સુરક્ષિત છે તે એટલું તે નિઃસંદેહ સૂચવે જ છે કે લોકમાનસ ઉપર