________________
૫૯
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા વિચાર્યું હોવું જોઈએ કે ભેદપ્રધાન સૃષ્ટિના મૂળમાં અધિષ્ઠાન તરીકે યા કારણ તરીકે એકમાત્ર અખંડ બ્રહ્મતત્ત્વ છે એવી અતવાદીઓની માન્યતા વિશેષ-નિરપેક્ષ સામાન્યદૃષ્ટિએ તે સાચી છે, પણ સૃષ્ટિમાં અનુભવાતા ભેદો અને તેમાંથી ઊપજતું જીવનગત વૈષમ્ય, એનો ખુલાસે છે ? આ વિચારમાંથી તેમને બ્રહ્માદ્વૈતને સમભાવ સાથે મેળ બેસાડવાની સૂઝ પ્રગટી લાગે છે. તેઓ કહે છે કે શાસ્ત્રોમાં જે અદ્વૈતદેશના છે તે જીવનસાધનામાં વૈષમ્ય નિવારી સમભાવની સ્થાપના અપે છે.૩૯ જે બ્રહ્માદ્વૈતની ભાવના દ્વારા જીવનમાં સમતા સાધવાનો ઉદ્દેશ ન હોય, તે એ બ્રહ્માટૅત માત્ર વાદ પૂરતું જ રહી જાય અને અધ્યાત્મશાસ્ત્રોમાં જે યોગ દ્વારા સંક્લેશ નિવારી વિશુદ્ધિ સિદ્ધ કરવાની વાત છે તે તથા બંધ-મેક્ષવાદની વ્યવસ્થા કદી ઘટી જ ન શકે. આવા વિચારથી તેમણે બ્રહ્માતવાદનું નિરસન કર્યા છતાં તેનું તાત્પર્ય સમતાસિદ્ધિમાં દર્શાવી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા વચ્ચે લાંબા કાળથી ચાલ્યા આવતા અંતરને સાંધવાનો બીજા કોઈએ કર્યો હોય તે કરતાં વિશેષ સારગ્રાહી પ્રયત્ન કર્યો છે.