________________
૫૮
સમદર્શી આચાય હરિભદ્ર
થયા, ત્યારે બૌદ્ધ વિદ્વાનને પણ તે વાદોને ભૂમિકાભેદે ઘટાવવા પડ્યા. હરિભદ્ર તેા બૌદ્ધ નથી અને છતાંય તે બૌદ્ધ વાદેને અધિકારભેદે તેનું યોગ્ય સ્થાન આપી એટલે સુધી કહે છે કે યુદ્ધ એ કાઈ સાધારણ વ્યક્તિ નથી, તે એક મહાન મુનિ છે. આમ હાવાથી તેઓ જ્યારે અસત્યને આભાસ કરાવે એવું પણ વચન ઉચ્ચારે, ત્યારે તે એક સુવૈદ્યની પેઠે ખાસ પ્રયેાજન વિના ન જ ઉચ્ચારે.૩૮ હરિભદ્રની આ મહાનુભાવતા, મારી દૃષ્ટિએ, દનપર પરામાં એક વિરલ કાળેા છે.
પ. જેમ શાન્તરક્ષિતે ઔપનિષદિક આત્માની પરીક્ષામાં બ્રહ્માદ્વૈતવાદનું નિરસન કર્યુ છે, તેમ હરિભદ્રે પણ કર્યુ છે. જોકે હરિભદ્રે પદ્દનસમુચ્ચયમાં મીમાંસક દનના પ્રસ્તાવમાં બ્રહ્મવાદી દર્શોના નિર્દેશ સુધ્ધાં નથી કર્યો, પણ જ્યારે તેઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં એ વાદનું નિરસન કરે છે, ત્યારે એમ તેા કહી ન શકાય કે તેઓ બ્રહ્મવાદી દર્શીનથી પરિચિત ન હતા. ષડૂદ'નસમુચ્ચયની રચના એમણે પહેલાં કરી હેાય અને તે વખતે તેએ બ્રહ્મવાદી દર્શનથી પરિચિત ન હોય એમ પણ માની શકાતું નથી. એક તે હરિભદ્રના સમય સુધીમાં ઔપનિષદિક બ્રહ્મવાદ ખીજા કાઈ દર્શન કરતાં ઓછા જાણીતા ન જ હતા—શંકરાચાય પહેલાં પણ અનેક આચાર્યોં દ્વારા ઔપનિષદ દર્શન ઠીક ઠીક પ્રસિદ્ધિ પામ્યું જ હતું— અને એમ પણ નથી લાગતું કે ષડૂદનસમુચ્ચયની રચના હરિભદ્રે પેાતાની અપ્રૌઢ દશામાં કરી. તેથી, બહુ તા એટલું જ કહી શકાય કે, હરિભદ્રને મન પ્રતિપાદ્ય આસ્તિક દઈનેામાં જૈમિનીય મીમાંસાનું સ્થાન પ્રધાન હશે, કેમ કે તે કાળે કુમારિલ આદિ દ્વારા પૂર્વમીમાંસાની વિશેષ પ્રતિષ્ઠા જામી હતી, એટલે હરિભદ્રે માત્ર એનું વર્ણન કરી સતેાષ માન્યા હાય. અસ્તુ.
પરંતુ અહીં પણ હરિભદ્ર શાન્તરક્ષિતથી જુદા પડે છે. હરિભદ્ર બ્રહ્મવાદનું નિરસન કર્યાં પછી પણ તેનું સ્વદષ્ટિએ તાત્પ દર્શાવે છે. હરિભદ્ર શ્રમણ પરંપરાના છે અને સમદ્રષ્ટિના પુરસ્કર્તા છે. એમણે