________________
- ૫૭
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
૪. શાન્તરક્ષિતે જુદે જુદે સ્થળે જૈન મંતવ્યની પરીક્ષા કરી છે, તે હરિભકે બૌદ્ધ મંતવ્યોની; પણ અહીં બન્નેના દૃષ્ટિકોણે જુદા છે. શાન્તરક્ષિત માત્ર ખંડન ટુ છે; હરિભદ્ર વિરોધી મતની તકપુર સર સમીક્ષા કરતાં પણ, સંભવ હોય ત્યાં, કાંઈક સાર તારવી તે મતના પુરસ્કર્તાને સન્માને છે. જ્યારે હરિભદ્ર બૌદ્ધ ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને શુન્યવાદ એ ત્રણે વાદોની સમીક્ષા કરી, ત્યારે પણ તેમણે એ વાદના પ્રેરક દૃષ્ટિબિંદુને અપેક્ષાવિશેષે ન્યાય સ્થાન આપ્યું અને સ્વસંપ્રદાયના પુરસ્કર્તા અષભ-મહાવીર આદિને જે વિશેષણોથી નિર્દેશ તેવાં જ વિશેષણોથી એમણે બુદ્ધને પણ નિર્દેશ્યા અને કહ્યું કે બુદ્ધ જેવા મહામુનિ તેમજ અહંતની દેશના અર્થહીન હોઈ ન શકે. ૩૩ એમ કહી તેમણે સૂચવ્યું કે ક્ષણિકતની એકાંગી દેશના આસક્તિનિવૃત્તિ માટે જ હોઈ શકે;૩૪ એ જ રીતે બાહ્ય પદાર્થોમાં રચ્યાપચ્યા રહેનાર અને આધ્યાત્મિક તત્ત્વથી સર્વથા પરાડમુખ એવા અધિકારીએને ઉદ્દેશીને જ બુદ્દે વિજ્ઞાનવાદ ઉપદેશેલો હોવો જોઈએ.૩૫ શૂન્યવાદ પણ તેમણે જિજ્ઞાસુ અધિકારીવિશેષને લક્ષમાં રાખીને જ ઉપદેશેલે છે એમ માનવું જોઈએ.૩૬ કેટલાય વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી બૌદ્ધ આચાર્યો સામે ઈતર બદ્ધ વિદ્વાનો તરફથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે તમે વિજ્ઞાન અને શૂન્યતાની જ વાત કરે છે, તો બૌદ્ધ પિટકમાં જે સ્કંધ, ધાતુ, આયતન આદિ બાહ્ય પદાર્થોને ઉપદેશ છે તેની શી ગતિ? આના જવાબમાં ખુદ વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીઓએ પણ પોતાના સબંધુ બૌદ્ધ પ્રતિપક્ષીઓને હરિભદ્ર જેવા જ મતલબનું કહ્યું છે કે બુદ્ધની દેશના અધિકારભેદે છે. જેઓ લેકિક સ્થળ ભૂમિકામાં હોય તેમને એવી જ અને એમની જ ભાષામાં બુદ્ધ ઉપદેશ કરતા, પછી ભલે એમનું અંતિમ તાત્પર્ય તેથી જુદું હોય.૩૭ બુદ્ધિભેદ શરૂઆતમાં ન કરવો અને ક્રમે ક્રમે જિજ્ઞાસુઓને ઊંડાણમાં લઈ જવા એ બુદ્ધની દષ્ટિ યા નીતિ રહેલી છે. જ્યારે બૌદ્ધ પરંપરામાં પણ ન સાંધી શકાય એવા સામસામેના છેડાવાળા વાદો ઊભા