________________
૫૬
સમદર્શ આચાર્ય હરિભદ્ર ૩. શાન્તરક્ષિતની પેઠે હરિભદ્દે પણ સાંખ્યમત પ્રકૃતિકારણવાદની પર્યાલચના કરી છે. આ પર્યાલચનામાં પણ બન્નેને ભૂમિકાભેદ દેખાઈ આવે છે. શાન્તરક્ષિત પ્રકૃતિ પરીક્ષામાં સાંખની દલીલોને એક પછી એક નિરસ્ત કરે છે, પણ અંતે એ પ્રકૃતિવાદમાંથી કાંઈ ઉપાદેય સ્વરૂપે સ્વદૃષ્ટિએ દર્શાવતા નથી, જ્યારે હરિભદ્ર એ દર્શાવે છે. પ્રકૃતિવાદનું નિરસન કરતાં કરતાં જાણે હરિભદ્રના સમશીલ મનને એમ ન લાગ્યું હોય કે આ પ્રકૃતિવાદમાં પણ કાંઈક રહસ્ય છે, તો તે પણ દર્શાવવું ઘટે. આવી કોઈ વૃત્તિથી તેમણે કહ્યું કે જૈન પરંપરા પણ પિતાની દષ્ટિએ પ્રકૃતિવાદ સ્વીકારે છે. તે દષ્ટિ એટલે કર્મતત્વને સુખદુઃખના વૈષમ્યનું મૂલ કારણ માનવું તે. જૈન પરંપરામાં કર્મવાદનું પ્રાધાન્ય છે અને એનાં પ્રાચીન શાસ્ત્રોમાં કર્મપ્રકૃતિ નામનો એક ખાસ વિભાગ છે, જેમાં કર્મતત્ત્વની બહુમુખી અને સૂક્ષ્મ વિચારણું છે.
કમ' પદ સાથે સંકલિત “પ્રકૃતિ પદ એ પરાપૂર્વથી કર્મપ્રકૃતિરૂપે જાણીતું છે. શાસ્ત્રના એ વિભાગ અને તેમાં પ્રતિપાદિત કર્મપ્રકૃતિ તત્ત્વ એ બન્નેનું જાણે હરિભદ્રને સ્મરણ થઈ ન આવ્યું હોય અને તેમાંથી તુલનાનું દૃષ્ટિબિંદુ સૂઝી આવતાં એમણે પ્રકૃતિવાદને ૩૧ અર્થ પિતાની રીતે દર્શાવ્યો ન હોય તેમ લાગે છે.
પણ હરિભદ્રની તુલના અને સમત્વદષ્ટિ માત્ર શબ્દના અનેક અર્થોમાં જ પૂરી નથી થતી. એમનું એ કથન તે એક ભૂમિકારૂપ છે. આ ભૂમિકા ઉપર આવીને જે સાંખ્યમતનો સયુક્તિક પ્રતિવાદ પોતે કર્યો છે, તે જ સાંખ્ય મતના આદિદ્રષ્ટા તરીકે સર્વત્ર વિશ્રત અને બહુમાન્ય એવા કપિલ ઋષિને ઉદ્દેશી જે કહે છે તે તેમના ઉચ્ચ આશયની પ્રતીતિ કરાવે છે. હરિભદ્ર કહ્યું કે મારી દૃષ્ટિએ પ્રકૃતિવાદ પણ સત્ય છે, કારણ કે એના પ્રણેતા જે કપિલ છે તે દિવ્યલોકોત્તર મહામુનિ૩૨ છે. સાંપ્રદાયિક ખંડન-મંડનના વર્તુળમાં કોઈ વિદ્વાને પિતાના પ્રતિવાદીનો આટલા આદરથી નિર્દેશ કર્યો હોય તો તે એક હરિભદ્ર જ છે.