SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિક પર પરામાં આ. હરિભદ્રની વિશેષતા ૫૩ નથી. એ ચાહત તે પરપક્ષને પ્રતિવાદ કરવા છતાં તેમાંથી કાંઈક સત્યાંશ તારવી શકત, પણ એમના ઉદ્દેશ જ એકમાત્ર પ્રતિપક્ષી દર્શનના નિરાકરણને રહેલા હાય એમ લાગે છે; જ્યારે હરિભદ્ર આ બાબતમાં તદ્દન જુદી ભૂમિકામાં હોય તેમ લાગે છે. હરિભદ્ર પણ શાન્તરક્ષિતની પેઠે, પેાતાને સંમત ન હેાય એવા મતાની પેાતાની રીતે સમાલોચના તેા કરે છે, પણ એ સમાલાચનામાં તે તે મતના મુખ્ય પુરસ્કર્તાએ કે આચાર્યોને તે જરાય લાવ કે અવગણનાદૃષ્ટિથી નથી જોતા; ઊલટું, તે સ્વદર્શનના પુરસ્કર્તા કે આચાર્યોને જે અહુમાનથી જુએ છે તે જ બહુમાનથી તેમને પણ જુએ છે. હરિભદ્રે પ્રતિપક્ષી પ્રત્યે જે ઊંડી બહુમાનત્તિ દાખવી છે તેવી દાર્શનિક વર્તુલમાં બીજા ક્રાઈવિદ્વાને, ઓછામાં ઓછું તેમના સમય સુધીમાં તા, દાખવી દેખાતી જ નથી. તેથી હું સમજું છું કે એ એમની વિરલ સિદ્ધિ કહેવાય. જ્યારે કાઈ વિદ્વાન પોતે પેાતાના ખંડનીય પ્રતિપક્ષના પુરસ્કર્તાને બહુમાનથી ઉલ્લેખ કરે, ત્યારે સમજવું રહ્યું કે તેની આંતરિક ભૂમિકા ગુણગ્રાહી તટસ્થતાપૂર્ણ છે. આ ભૂમિકા એ જ સમત્વ યા નિષ્પક્ષતા. જ્યારે માનસિક ભૂમિકા આવી હોય ત્યારે વિદ્વાન પ્રતિપક્ષનું નિરાકરણ કરવા છતાંય એના મતમાં રહેલા સત્યાંશને શેાધવા પ્રયત્ન કર્યા વિના રહી શકે નહિં, અને એવા પ્રયત્નથી એને કાંઈ ગ્રાહ્ય જણાઈ આવે તે તેને તે પોતાની રીતે રજૂ કર્યાં સિવાય પણ રહી શકે નહિ. હરિભદ્રના લખાણમાં આના અનેક દાખલા એવા થોડાક દાખલાઓ ટાંકી જોઇશુ કે હરિભદ્રે વ્યની સમાલાચના કરતાં કરતાં તેમાંથી પેાતાને કયા કયા મુદ્દા તારવ્યા અને તેને પોતાના રીતે સરખાવ્યા ઃ મળે છે. અત્રે પ્રતિપક્ષીના મત ગ્રાહ્ય જણાય એવા મંતવ્ય સાથે કેવી ૧. હરિભદ્રે ભૂતવાદી ચાર્વાકની સમીક્ષા કરી તેના ભૂતસ્વભાવવાદનું નિરાકરણ કર્યુ છે અને પરલાક તેમ જ સુખદુઃખના વૈષમ્યને
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy