________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર આ ગ્રંથ ટિબેટન ભાષામાં અનુવાદિત તો છે જ, પણ મૂળ સંસ્કૃત ગ્રંથ માત્ર બે જૈન ભંડારોમાંથી ૨૩ મળ્યો છે અને તે ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ દ્વારા પ્રકાશિત પણ થયો છે. એ વિશાળ ગ્રંથનું મૂળ પદબંધ છે. એનાં પધોની સંખ્યા ૩૬૪૬ છે. એમાં છવીસ પરીક્ષાઓ છે. પ્રત્યેક પરીક્ષા પિતાને સંમત ન હોય કે પિતાથી વિરુદ્ધ હોય એવા મતાંતરોની સમીક્ષા કરે છે. એમાં વૈદિક અને જૈન જેવી બહેતર પરંપરાઓનાં મતોની સમાલોચના તો છે જ, પણ બૌદ્ધ પરંપરામાંની જે જે નિકા કે શાખાઓનાં મંતવ્યોથી શાન્તરક્ષિત જુદા પડતા, લગભગ તે બધા જ નિકાય અને બધી જ શાખાઓનીયે તેમણે તલસ્પર્શી સમાલોચના કરી છે. શાન્તરક્ષિત વજયાની વિજ્ઞાનવાદી હતા. શૂન્યવાદ સાથે એમનો કોઈ ખાસ વિરોધ ન હતો, પણ વૈભાષિક અને સૌત્રાન્તિક જેવી શાખાઓના તે તેઓ તદ્દન વિરોધી હતા. અને બીજા પણ કેટલાક નાનામોટા મતભેદ ધરાવનાર જે વિદ્વાનો બૌદ્ધ પરંપરામાં થઈ ગયેલા અને હતા તેમની પણ શાંતરક્ષિતે માત્ર નેંધ જ નથી લીધી, પરંતુ બારીક સમાલોચના પણ કરી છે.૨૪
શાન્તરક્ષિતની એક ખાસ વિશેષતા નોંધપાત્ર છે અને તે એ કે તેમને બૌદ્ધ પરંપરાની પિતાના સમય સુધીમાં અસ્તિત્વમાં આવેલી એવી બધી નાનીમોટી શાખાઓના ગ્રંથ, ગ્રંથકારે અને તેમની જીવનપ્રણાલિકાઓને પ્રત્યક્ષ, સજીવ અને ઊંડો પરિચય હતો. બૌદ્ધતર કોઈ પણ પરંપરાના વિદ્વાનમાં આવા પરિચયની અપેક્ષા રાખી શકાય નહિ. તેથી બૌદ્ધ પરંપરાના તત્ત્વજ્ઞાન વિષયક વિકાસની પ્રામાણિક અને સર્વાગીણ માહિતી આપતા કોઈ આકર ગ્રંથ લભ્ય હોય તે તે તત્ત્વસંગ્રહ છે.
તત્વસંગ્રહ ઉપર જે પંજિકા નામની વિસ્તૃત વ્યાખ્યા છે, તે શાન્તરક્ષિતના પ્રધાનતમ શિષ્ય કમલશીલની છે. કમલશીલ પણ એક મોટા બૌદ્ધ વિદ્યાપીઠના આચાર્યપદે રહેલા. તે પ્રબળ બહુકૃત દાર્શનિક