________________
દાર્શનિક પર પરામાં આ. હરિભદ્રની વિશેષતા
૪૭
દર્શીતાને તે હરિભદ્રની પેઠે આસ્તિક જ કહે છે. હા, એટલા ફેર અવશ્ય છે કે બન્ને જૈન હાવા છતાં હરિભદ્ર પોતાના જૈન દર્શનને પ્રથમ સ્થાન ન આપતાં બૌદ્ધ, ન્યાય અને સાંખ્ય પછી ચોથું સ્થાન આપે છે. સર્વાસિદ્ધાન્તપ્રવેશકમાં પણ જૈન દનને ત્રીજું સ્થાન આપવામાં આવેલ છે, અને તેમાં દર્શીનેાને ક્રમ આ પ્રમાણે છેઃ નૈયાયિક, વૈશેષિક, જૈન, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને ચાર્વીક; જ્યારે રાજશેખર જૈનદર્શનને પ્રથમ સ્થાન આપે છે. રાજશેખરે હરિભદ્રને આધારે જ ગ્રંથ રચ્યા, છતાં આ ક્રમવિપર્યાસ કેમ કર્યો એ પ્રશ્ન તા થાય જ. એમ લાગે છે કે રાજશેખર પોતાના પૂવતી અને સમકાલીન દાર્શનિકાના અભિનિવેશયુક્ત વલણથી પર ન થઈ શકથા, જ્યારે હરિભદ્ર૧૮ એ વલણથી પર થઈ પાતાના ક્રમ ચેાજે છે. તેથી જ ઇતર ગ્રંથામાં બૌદ્ધ, નૈયાયિક આદિ દનાનું સયુક્તિક અને ભારપૂર્વીક ખંડન કર્યો છતાં જ્યારે ષડૂદનસમુચ્ચય રચવા એ પ્રેરાયા, ત્યારે તેમણે પોતાની પૂર્વકાલીન અભિનિવેશવૃત્તિને બાજુએ મૂકી ક્રમ વિચાર્યો હોય એમ લાગે છે. જાણે કે તેમને એવું સૂચન કરવું ન હેાય કે જે પરદર્શની અને પરવાદી છે તે પણ પેાતાની ભૂમિકા અને સંસ્કાર પ્રમાણે વસ્તુતત્ત્વનું પ્રામાણિક નિરૂપણ કરે છે, તો એમાં પર અને સ્વદર્શનના ચડતા-ઊતરતાપણાને સવાલ જ કાં છે? હરિભદ્રની આ દૃષ્ટિમાં જ સમત્વ અને તટસ્થતાનાં ખીજ છે; અને એ એમની પ્રસિદ્ધ ઉક્તિ~~
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ ની યાદ આપે છે.
હવે આસ્તિક અને નાસ્તિક પદ, જે લેાક અને શાસ્ત્રમાં જાણીતાં છે, તેને લઈ તે પણ હરિભદ્રની ઉદાત્ત દૃષ્ટિના વિચાર કરીએ. પરલાક, આત્મા, પુનર્જન્મ જેવાં અષ્ટ તત્ત્વા ન માને તેને, કાશિકા વ્યાખ્યા અનુસાર, પાણિનિએ નાસ્તિક અને માને તેને આસ્તિક કહેલા છે.૧૯