SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સમદશ આચાર્ય હરિભદ્ર તેથી જ પ્રિયદર્શી અશોકે પિતાનાં ધર્મશાસનેમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરામાં સમાવેશ પામતા બધા જ નાનામોટા પંથેને ઉદ્દેશી કહ્યું છે કે બધા ધાર્મિકાએ અંદરોઅંદર સંવાદપૂર્વક વર્તવું. જે પર પાખંડ યા પરધર્મ–પરદર્શનની નિંદા કરે છે તે ખરી રીતે સ્વપાખંડ-સ્વધર્મની નિંદા કરે છે.૧ અશકે જેમ તમામ બ્રાહ્મણશ્રમણ વર્ગોને ઉદેશી શિક્ષા આપી તેમ તેણે માત્ર બૌનિકાયને ઉદ્દેશીને પણ શિખામણ આપી છે. અશોક જ્યારે બુદ્ધ-ધર્મ-સંધનું ત્રિશરણ સ્વીકારી બૌદ્ધ ઉપાસક થયો ત્યારે તેણે બૌદ્ધ ધર્મમાં પડેલા ફાંટાઓ અને જુદી જુદી નિકા વચ્ચે સત્યના દાવા ખાતર જ ચાલતું ભાંડણ જોઈ તેને શમાવવા બૌદ્ધ ભદંતેને પણ નમ્ર વિનંતિ કરી.૨ અશોકનાં ધર્મશાસન સૂચવે છે કે તેના સમયમાં બ્રાહ્મણ અને શ્રમણ વર્ગો વચ્ચે દર્શન અને ધર્મ પર કેવી અનિષ્ટ સ્થિતિ પ્રવર્તતી હતી. દર્શન યા તત્ત્વજ્ઞાન એ ધર્મસંપ્રદાયને આધારે જ ટકે અને ખીલે છે. ધર્મસંપ્રદાયો પણ તત્ત્વજ્ઞાનની ભૂમિકા વિના કદી સ્થિર થઈ શકતા જ નથી. બન્નેનું જોડાણ જેમ આવશ્યક છે તેમ હિતાવહ પણ છે, પરંતુ જ્યારે કોઈ એક દર્શન અમુક ધર્મસંપ્રદાય સાથે સંકળાય છે ત્યારે તેની સાથે બીજી અનેક વસ્તુઓ અસ્તિત્વમાં આવે છે. દર્શન અને આચારને લગતા ગ્રંથો, તે તે ગ્રંથના પ્રણેતાઓ અને વ્યાખ્યાતાઓ, આ બધાને પિષનાર અને આદર આપનાર એ - અનુયાયી વર્ગ–આ રીતે દર્શન અને ધર્મ બન્ને મળી–એક વિશિષ્ટ જીવ સંપ્રદાય બને છે. સંપ્રદાયના પુરસ્કર્તાઓ ઈચછે કે ન ઈચ્છ, પણ તેમાં એક એવું વાતાવરણ સર્જાય છે કે સંપ્રદાયોમાં માત્ર શ્રેષ્ઠતાકનિષ્ઠતાની જ વૃત્તિ નથી ઉદય પામતી, પણ તેઓ ક્રમે ક્રમે બીજાને હેય અને અસ્પૃશ્ય સુધી માનતા થઈ જાય છે, એટલું જ નહિ, પણ
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy