________________
વ્યાખ્યાન ત્રીજું દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
ત્રીજા વ્યાખ્યાનો વિષય છે. દાર્શનિક પરંપરામાં હરિભદ્ર દાખલ કરેલ નવીન દષ્ટિ. બીજા વ્યાખ્યાનને અંતે પાંચ ગુણે-વિશિષ્ટતાઓનું સૂચન કર્યું છે, તેમાંથી પ્રથમના ત્રણ ગુણો એમના બે દાર્શનિક ગ્રંથોમાં બહુ જ સ્પષ્ટપણે વ્યક્ત થયેલા છે. એ બે ગ્રંથો પૈકી પ્રથમ ઘરનામુ અને બીજો શાસ્રવાસમુચા.
દર્શનને ખરે ભાવ વસ્તુમાત્રના યથાર્થ સ્વરૂપનું અવગાહન યા તે માટે પ્રયત્ન કરવો તે છે. સત્યનું સ્વરૂપ નિ:સીમ અને અનંતવિધ છે. એક જ વ્યક્તિને પણ તે ઘણીવાર કાળક્રમે વિવિધ રૂપે ભાસે છે; અનેક વ્યક્તિઓમાં પણ સત્ય દેશ અને કાળભેદે જુદી જુદી રીતે આવિભૌવા પામે છે. તેથી કોઈ એક વ્યક્તિનું સત્યદર્શન પરિપૂર્ણ અને છેવટનું તેમજ અન્ય વ્યક્તિને દેખાયેલ સત્યાંશથી સાવ નિરપેક્ષ હોઈ શકે નહિ. આથી કરીને સત્યની પૂર્ણ કળાની નજીક પહોંચવાને રાજમાર્ગ તે એ છે કે દરેક સત્યજિજ્ઞાસુ ઈતર વ્યક્તિના દર્શનને આદર અને સહાનુભૂતિથી સમજવા પ્રયત્ન કરે. વસ્તુસ્થિતિ આવી હોવી જોઈએ, પણ માનવચિત્તમાં સત્યની જિજ્ઞાસા સાથે જ કેટલાક મળે પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. એ મળોની તીવ્રતા કે મંદતાને લીધે જિજ્ઞાસુ વધારે મધ્યસ્થતા કેળવી શકતું નથી અને પરમત યા પરદર્શન સાથે અથડામણીમાં આવે છે. આ રીતે એક બાજુ વિશિષ્ટ વ્યક્તિ મતવિરોધ કે મતવિસંવાદ ટાળવા મથે છે, ત્યારે અનેક સાધારણ વ્યક્તિએ મતભેદને કલેશભૂમિમાં ફેરવી નાખે છે. આવું સંવાદ-વિસંવાનું ચક્ર બધા ધર્મ-પંથમાં કોઈ ને કોઈ રૂપે પ્રવર્તતું આવ્યું છે.