________________
૩૧
સમદર્શી આચાય હરિભદ્ર
જાય છે.
આ સ્થિતિ હરિભદ્રના સૂક્ષ્મ અંતરચક્ષુએ નિહાળી. તેથી એમણે વિરલ ગણાય એવા પેાતાના દર્શન અને યાગ પરંપરાના ગ્રન્થામાં એવી શૈલી સ્વીકારી છે કે જૈન પર પરાના મૌલિક ગણાય એવા સિદ્ધાન્તા જૈનેતર પરંપરાએ તેમની પરિભાષામાં સરલતાથી સમજી શકે અને જૈનેતર બૌદ્ધ કે વૈદિક પર પરાનાં અનેક મંતવ્યેા કે સિદ્ધાન્તા જૈન પરંપરા પણ સમજી શકે. વિરોધી ગણાતા અને વિરાધ પાષતા આવેલા ભિન્ન ભિન્ન સંપ્રદાયા વચ્ચે બની શકે તેટલું અંતર ઓછું કરવાના યાગીગમ્ય માગ હરિભદ્રે વિકસાવ્યા છે, અને સૌ એકબીજામાંથી વિચાર-આચાર મેાકળે મને ગ્રહણ કરી શકે એવું દ્વાર ખુલ્લુ કર્યું છે, જે સાચે જ વિરલ છે.
આ રીતે આચાય હરિભદ્રે દાર્શનિક અને યાગ પરપરામાં જે વિચાર અને વર્તનની નવી દિશા ઉઘાડી છે તે ખાસ કરીને આજના યુગના અસાંપ્રદાયિક અને તુલનાત્મક-ઐતિહાસિક અધ્યયનમાં ભારે ઉપકારક થઈ પડે તેવી છે.