SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શને અને યોગને વિકાસ પરપરંપરાનાં મન્તવ્યો સાથે સર્વથા એકમત થઈ જવાનું કામ બહુ અઘરું છે. એવી સ્થિતિ દેખાય ત્યારેય હરિભદ્ર, પરવાદી મન્તવ્યોથી જુદા પડવા છતાં. તેમના પ્રત્યે જે વિરલ બહુમાન અને આદર દર્શાવે છે તે તેમણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આપેલી એક વિરલ ભેટ ગણાવી જોઈએ. સત્ય-સમર્થન અને આધ્યાત્મિકતાને દાવો કરનાર કઈ પણ જૈન-જૈનેતર વિદ્વાને પિતાનાથી વિરુદ્ધ સંપ્રદાયના પ્રવર્તક કે વિદ્વાન પ્રત્યે હરિભકે દર્શાવેલ છે તેવું બહુમાન દર્શાવ્યું હોય તે તે મારી જાણમાં નથી. ૪. ૫રંપરાને પણ નવી દષ્ટિ અને નવી ભેટસામાન્ય રીતે દાર્શનિક વિદ્વાને પિતાનું બધું વિચાર કે પાંડિત્યબળ પરપરંપરાની સમાલોચનામાં વાપરે છે અને પિતાની પરંપરાને કહેવા જેવાં સત્યો મ્હરે તેય તે પરંપરાની ખફગી વહોરવાનું જોખમ નથી ખેડતા, અને તે બાબતમાં ચાલતું ચાલવા દેવાની વૃત્તિ સેવી પિતાની પરંપરાને ઊંચે આણવાને કે એની ખરી ખામી બતાવવાને કઈ ભાગ્યે જ પ્રયત્ન કરે છે, જ્યારે હરિભદ્ર આ બાબતમાંય સાવ અનોખા છે. એમણે પરવાદીઓ કે પરપરંપરાઓ સાથેના વ્યવહારમાં જે તટસ્થવૃત્તિ અને નિર્ભયતા દર્શાવી છે તેવી જ સ્વપરંપરા પ્રત્યે કેટલાક મુદ્દા રજૂ કરવામાં પણ દર્શાવી છે, જે આપણે આગળ જોઈશું. ૫. અંતર સાંધવાને કીમિયો–સામાન્ય રીતે મોટા મોટા અને અસાધારણ વિદ્વાને જ્યારે ચર્ચામાં ઊતરે છે કે કાંઈ લખે છે ત્યારે એમાં વિજિગીષા અને સ્વપરંપરાને શ્રેષ્ઠ સ્થાપવાની ભાવના મુખ્યપણે રહેલી હોવાથી સંપ્રદાય-સંપ્રદાય વચ્ચે અને એક જ સમ્પ્રદાયના વિવિધ ફાંટાઓ વચ્ચે બહુ મોટું માનસિક અન્તર ઊભું થાય છે. એવા અન્તરને લીધે સામા પક્ષમાં રહેલી અને ગ્રહણ કરવા જેવી ઉદાત્ત વસ્તુઓ પણ કોઈ ભાગ્યે જ ગ્રહણ કરે છે. એને લીધે પરિભાષાઓની શુષ્ક વ્યાખ્યા અને શાબ્દિક સાઠમારીના આવરણમાં સત્ય ગૂંગળાઈ
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy