SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શના અને યોગના વિકાસ ૩૩ વન કરે છે.૫૧ ત્યાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે પર’પરાની અનેકવિધ શાખાએ અસ્તિત્વમાં હતી, અને દરેક શાખાના વિદ્વાનેા ત્યાં આવી વસતા અને વિદ્યાપ્રવૃત્તિને પોષતા. જ્યાતિષ, કાવ્ય, કથા આદિ વિષયક અનેક ગ્રન્થરા ભિન્નમાળ ક્ષેત્રમાં રચાયેલાં ઉપલબ્ધ છે. એ ક્ષેત્રમાં જાબાલીપુરને પણ સમાવેશ કરવા જોઈએ. એ ક્ષેત્રમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી સંખ્યાબંધ કૃતિ મળે છે.પ૨ તેમાં જે દર્શન અને યાગ પરંપરાની સાથે જ સંબંધ ધરાવતી હેાય એવી કૃતિઓ પણ છે; અને આ ઉપલબ્ધ કૃતિએ મુખ્યપણે આ. હરિભદ્રની છે. હરિભદ્ર સિવાય તાર બૌદ્ધ, વૈદિક કે જૈન વિદ્વાનાએ એ વિષય પરત્વે કાંઈ ને કાંઈ રચના કરી હશે એવી ધારણા રાખવી તે સાવ વધારે પડતી નથી, પણ આઠમા સૈકા સુધીમાં એ ક્ષેત્રમાં રચાયેલી અને વિદ્વાનેાનું ધ્યાન શકે એવી દઈન અને યોગ પર પરાને લગતી કૃતિઓ તે આ. હરિભદ્રની જ છે. તેથી હવે આપણે એ વિચારીએ કે દન અને યાગ પર ́પરાના વિચારવિકાસમાં આ. હરિભદ્રનું સ્થાન શું છે અને તે કેવું છે? આચાર્ય હરિભદ્રનું સ્થાન આચાર્ય હરિભદ્રના સમય સુધીમાં દેશને એવા કાઈ ભાગ નજરે નથી પડતા કે જ્યાં દાર્શનિક અને યાગના વિચારાના નાનામેટા અખાડા ન ચાલતા હાય. હરિભદ્રના પૂવતી અને સમકાલીન એવા અનેક જૈન-જૈનેતર વિદ્વાના થયેલા છે કે જેમની વિચારસૂક્ષ્મતા, વક્તવ્યની સ્પષ્ટતા અને બહુશ્રુત તાર્કિકતા એ હરિભદ્ર કરતાં પણ ચડી જાય. એવા જ વિશિષ્ટ વિદ્વાનોની સમથ કૃતિના અધ્યયન અને પરિશીલનને આધારે જ હરિભદ્રનું માનસિક-આધ્યાત્મિક વ્યક્તિત્વ ધડાયેલું છે. તેમ છતાં જ્યારે દન અને યોગ પરપરાના વિકાસમાં હરિભદ્રે શા કાળેા આપ્યા કે એમાં બીજા કાઈ એ નહિ દાખવેલ એવી શી નવીનતા અપી એ કહેવું હેાય ત્યારે તા હરિભદ્રના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન આચાર્યોંની દૃષ્ટિ સાથે હરિભદ્રની દૃષ્ટિની
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy