________________
દશને અને યોગને વિકાસ હશે, પણ એને પૂર્વવતી નન્દી અને ઉત્તરાધિકારી અશોક આદિના જીવનનો વિચાર કરીએ છીએ અને રાજકીય સંબંધ સાથે ધાર્મિકતાનું પ્રથમથી જ ચાલ્યું આવતું અનિવાર્ય જોડાણ વિચારીએ છીએ, ત્યારે ઓછામાં ઓછું એમ માનવાને વાંધો નથી કે ગુજરાત સાથેના ચન્દ્રગુપ્તના સંબંધમાં ધર્મપરંપરાને પણ કાંઈ ને કાંઈ પાસ હોવો જોઈએ. પરંતુ એ ગમે તેમ હોય, છતાં એના પૌત્ર અશોક મૌર્યનાં ધર્મશાસને એ સ્પષ્ટ રીતે જણાવે છે કે અશોકની સત્તા ગુજરાત ઉપર હતી, ૩૧ પણ તે માત્ર રાજકીય ન હતી; એમાં ધાર્મિકતા મુખ્ય ભાગ ભજવે છે. અશોક તથાગત બુદ્ધત પાકે અનુયાયી હતા, પણ તે કટ્ટર સાંપ્રદાયિક ન હતું. તેની ઉદારતા વિશ્વના ઈતિહાસમાં અજોડ હતી, એમ તેનાં ધર્મશાસનો ઉોધે છે.૩૨ અશોકનાં ધર્મશાસન ઉપરથી એટલું કહી શકાય કે તે કાળે સૌરાષ્ટ્રમાં અનેક પંથે પ્રવર્તમાન હતા. એમાં જૈન૩૩ અને બૌદ્ધના અસ્તિત્વ વિશે તે પ્રશ્ન જ નથી, પણ ઉપર સૂચિત વૈષ્ણવ અને શૈવ આદિ ઇતર પૌરાણિક ધર્મો પણ પ્રવર્તમાન હોવા જોઈએ. પ્રાકૃત ભાષા દ્વારા એણે પિતાના રાજ્યના બીજા અનેક ભાગોની પ્રજાને જે ધર્મ પાળવા સૂચવ્યું છે તે મુખ્યપણે માનવધર્મ છે,૩૪ કઈ ખાસ પંથધર્મ નથી; અને માનવધર્મના ખરા પાયા એ યુગનાં અંગ ઉપર પ્રતિષ્ઠિત છે. બુદ્ધ પિતાના ઉપદેશમાં વધારે ભાર આપે હોય તે તે યોગનાં અંગે ઉપર.૩પ એટલે ગુજરાતમાં વેગ પરંપરાનું વ્યાવહારિક ચિત્ર અશોકની ધર્મલિપિઓમાં દેખાય છે. આ સાથે જ્યારે જૈન આદિ ઇતર પરંપરાઓને વિચાર કરીએ ત્યારે એમ લાગે છે કે અશોકના સમયના ગુજરાતમાં ઈતર પરંપરાઓ પણ માનવધર્મ ઉપર વધારે ભાર આપતી હશે. પણ અશોક પછી જ્યારે શક યુગ આવે છે અને એમાં રુદ્રદામાનું શાસન શરૂ થાય છે, ત્યારે એ તત્વજ્ઞાન અને યોગ્ય પરંપરાનું ચિત્ર વધારે ઉઠાવ ધારણ કરે છે.
ઈસ્વી સનના બીજા કાને રુદ્રદામાને એ સુશ્લિષ્ટ સંસ્કૃત