________________
દર્શને અને યાગનો વિકાસ
२७
યુદ્ધ-મહાવીર પહેલાંની શતાબ્દીમાં, પૌરાણિક વન કહે છેતેમ, યાદા દ્વારકા અને ગિરિનગરમાં પ્રાધાન્ય ભાગવતા. સાત્વતા એ ભાગવત પરમ્પરા સાથે સંકલિત છે. યાદવપુંગવ કૃષ્ણ એ તે ભાગવત પરમ્પરાના સર્વસમ્મત વૈષ્ણવ અવતાર મનાયા છે. યાદવાના ખીજા એક તપસ્વી નેમિનાથ એ જૈન પરમ્પરાના તીર્થંકર યા. વિશિષ્ટ અવતાર મનાય છે. યાદવવંશના પ્રભાવ અને વિસ્તાર સાથે મુખ્યપણે વૈષ્ણવ ધર્માંના પ્રસાર પશ્ચિમથી આગળ વધી બીજા દક્ષિણ આદિ પ્રદેશમાં થયા લાગે છે. શૈવ પરમ્પરાનું કાઈ ને કાઈ પ્રાચીન સ્વરૂપ ગુજરાતમાં પહેલેથી જ રહ્યું છે. તે સિન્ધુપ્રદેશમાંથી ગુજરાત ભણી આવ્યુ હાય કે ખીજે ગમે તે રસ્તે, પણ એટલું નક્કી લાગે છે કે ગુજરાતની ભૂમિમાં શૈવ પરમ્પરાનાં મૂળ વિશેષ પ્રાચીન છે.૨૫ પ્રભાસપાટણનું જ્યેાતિર્ધામ અને બીજા એવાં પૌરાણિક શૈવ ધામેામાં તથા ગ્રામ, નગર તેમજ ચડતા—ઊતરતા દરજ્જાની લગભગ બધી જ જાતિઓમાં શિવના સાદા સ્વરૂપની પૂજા પ્રથમથી જ પ્રચલિત રહી છે. શૈવ પરમ્પરાના મુખ્ય દેવ રુદ્ર ય! મહેશ્વર. ન્યાય—વૈશેષિક પરમ્પરામાં કર્તા બ્બિરનું સ્થાન કયારે ગેાઠવાયું તે તે અજ્ઞાત છે, પણ જ્યારે કર્તા તરીકે ઈશ્વરે એ પરપરામાં સ્થાન લીધું ત્યારે તે ઈશ્વર વિષ્ણુ કે બ્રહ્મા નહિ, પણ મહેશ્વર યા પશુપતિરૂપે વર્ણવાયેલ મળે છે. ૨૬
વૈષ્ણવ પરંપરાના ઉત્તરકાલીન તત્ત્વજ્ઞાન સંબંધી વિકાસ જોતાં એમ લાગે છે કે એ પરમ્પરાનું તત્ત્વજ્ઞાન સાંખ્ય વિચારસરણી ઉપર જ રચાયેલું છે. ૨૭ મધ્વ સિવાય અત્યાર લગીની એવી કાઈ વૈષ્ણવ પરમ્પરા નથી દેખાતી કે જેના તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાન્તા સાંખ્ય પરમ્પરા સિવાયની બીજી કાઈ પરમ્પરામાંથી સ્વીકારવામાં આવ્યા હાય. રશૈવ પરમ્પરાના ઘણાખરા કાંટાને સંબંધ ન્યાય–વૈશેષિક પરંપરાના તત્ત્વજ્ઞાન સાથે રહેલા છે. જૈન પરંપરાનું તત્ત્વજ્ઞાન આમ તે સાંખ્ય અને ન્યાય ય-વૈશેષિક પરંપરાથી સાવ સ્વતંત્ર છે, પણ.