________________
દર્શને અને યોગને વિકાસ નથી જણાતી. આર્યવર્તુળમાં યજનમાં દમ્પતી જોડાતાં, પણ વજનને વિધિ વિશિષ્ટ પુરુષ-પુરોહિત સિવાય કોઈ કરાવી શકતું નહિ. અલબત્ત, દાન-દક્ષિણ દ્વારા એ યજ્ઞ કરાવનાર બીજો વર્ગ ભલે હોય, પણ મંત્રોચ્ચાર અને ઈતર વિધિ તે વિશિષ્ટ પુરુષ-પુરોહિતનો જ અધિકાર હતે; જ્યારે આયેતર પ્રજાઓના ધર્મમાં પ્રચલિત પૂજાઓમાં સ્ત્રીપુરુષ, નાનું-મોટું કે ગમે તે ચડતા-ઊતરતા અધિકાર ધરાવનાર વ્યક્તિ સભાનપણે ભાગ લઈ શકતાં. આર્યના યજ્ઞોમાં ઇતર દ્રવ્યો સાથે માંસની આહુતિ અપાતી, ત્યારે આર્યેતર ધર્મોની પૂજામાં, આજે જેમ મૂર્તિ સામે નિવેદ ધરાય છે તેમ, પત્ર, પુષ્પ, ફળ, જળ અને દીપક આદિને ઉપયોગ થતો. આર્ય યજ્ઞવિધિ અત્યન્ત જટિલ, તે આર્યેતર પૂજા સાવ સરળ અને સાદી. આમ આર્ય અને આયેંતર પ્રજાના પ્રાચીન ધર્મોમાં બહુ મોટું અન્તર હતું. ૧૩
એ જ રીતે એમના તત્ત્વજ્ઞાનમાં પણ ખાસ અન્તર જણાય છે. આર્યવર્તુળનું તત્ત્વજ્ઞાન “બ્રહ્મ” શબ્દના વિવિધ અર્થોના વિકાસ સાથે સંકળાય છે, જ્યારે આર્યેતર પ્રજાઓનું તત્ત્વજ્ઞાન “સમ 'પદનાં વિવિધ પાસાંઓ સાથે ગોઠવાતું દેખાય છે. ૧૪
અસાધારણ કવિત્વની પ્રતિભા ધરાવનાર અને નવનવા વિચારઆચારોને પચાવનાર બ્રાહ્મણ પુરોહિતવ બ્રહ્મ' પદને છેવટે એ અર્થ વિકસાવ્યો અને ફલિત કર્યો કે બ્રહ્મ એટલે વિશ્વગત વિવિધ ભેદસૃષ્ટિઓનું પ્રભવસ્થાન. ૧૫ બીજી બાજુ “સમ'ના ઉપાસક અને અસાધારણ સાધકે વ્યાવહારિક જીવનનાં બધાં જ પાસાંઓમાં સમત્વ યા સમભાવ ખીલવવાની સાધના કર્યે જ જતા હતા. કે એને લીધે સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં સમત્વનો અર્થ બહુ જ સૂક્ષ્મ ભૂમિકા સુધી વિકસ્યો. સમત્વની સાધના પણ ભેદસૃષ્ટિની ભૂમિકા ઉપર જ ચાલતી, પણ એ અદ્વૈતમાં ન પરિણમતાં આત્મૌપમ્યમાં ૧૭ પરિણમી. આ સાધના એ જ છે. પરંપરાને મૂળ પા.