SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २२ સમદર્શી આચાય હરિભદ્ર પ્રભાવમાં અને પ્રવાહમાં એકરસ થઈ ગઈ યા સમાઈ ગઈ. આ - વગે સાધેલી ભાષાના સસ્કૃતીકરણની આ પ્રથમ સિદ્ધિ.૮ પણ ભાષાઓના પરસ્પર સંક્રમણની સાથે જ રક્તમિશ્રણ ચાલતું. તે સાથે જ સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ પરસ્પરના મિશ્રણના ધારણે ઘડાતું ગયું. જે આયેતર પ્રજા જમાના જૂની હતી તે પેાતાના અનેક સામાજિક રીતરિવાજો સાથે તેમજ સાંસ્કૃતિક અંગા સાથે આવના વર્તુલમાં દાખલ થતી ગઈ. પરિણામે ‘ આ ' શબ્દ, જે પ્રથમ એક નાના વર્ગ પૂરતા હતા તે, હવે એક વિશાળ સમાજને સ્પર્શી બની ગયા અને તેમાં વર્ણ–રંગ, જન્મ, કર્મ અને ગુણ આદિને આધારે ચાતુવર્ણ ગોઠવાયું, જેને પથરાટ દેશવ્યાપી બની ગયા. આ થઈ આયીકરણની પ્રક્રિયા. એમાં ‘આ ’ પદ વવાચી મટી ઉદાત્ત ગુણક સૂચક બની ગયું. ૧૦ આર્થીકરણની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ ધર્મ અને તત્ત્વજ્ઞાનની પરસ્પર સંક્રાન્તિ પણ શરૂ થઈ જ ગઈ હતી. આર્યેતર પ્રજાઓના ધાર્મિક અને તાત્ત્વિક સંસ્કાર આવના એ સંસ્કારથી બહુ જુદો હતો. આર્યો મુખ્યપણે પ્રકૃતિની વિવિધ શક્તિએ કે એનાં વિવિધ પાસાંઓને આકાશીય યા સ્વર્ગીય દેવરૂપે સ્તવતા યા એક ગૂઢ શક્તિના વિવિધ પ્રાકૃતિક આવિર્ભાવારૂપે સ્તવતા. એમનું સ્તવન જ્યારે યજન યા યજ્ઞવિધિમાં પરિણમ્યું ત્યારે એ વિધિમાં અગ્નિકલ્પ મુખ્ય હતા. અગ્નિમાં મંત્રપૂર્વક આહુતિએ આપવી અને અધિ છાયક દેવાને પ્રસન્ન કરવા એ ધર્માં મુખ્યપણે આવગે વિકસાવ્યા; ૧ ૧ જ્યારે આયેતર પ્રજાએમાંથી દ્રાવિડ જેવી પ્રજાઓનું ધાર્મિ`ક વલણ સાવ જુદું હતું. તે સ્વીય નહિ, પણ ભૂમિવાસી પ્રાણીઓ, પશુ, મનુષ્યો અને પશુ-મનુષ્યની મિશ્રિત આકૃતિઓવાળાં સત્ત્તાને અવતારરૂપે પૂજતા; અને એ પૂજા માટી, પથ્થર, લાકડું, ધાતુ આદિની પ્રતીકે તેમજ ચિત્ર અને ઇતર પ્રતિકૃતિ દ્વારા કરતા, જે મૂર્તિપૂજાનું ખાસ સ્વરૂપ છે.૧૨ આવર્તુળમાં આવી મૂર્તિપૂજ
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy