________________
દર્શને અને વેગને વિકાસ તે વર્ગ–મૂળે આ દેશને જ હતો કે બહારથી આ દેશમાં આવીને વો એ પ્રશ્ન વિષે મતભેદ પ્રવર્તે છે, પણ બહુમત અને ઘણું નક્કર હકીકત બહારથી આવી વસ્યાની તરફેણ કરે છે; છતાં આ સ્થળે એ પ્રશ્નને બાજુએ મૂકીને જ વિચારવું ઠીક છે. વૈદિક આર્યો મૂળે અહીંના હોય કે બહારથી આવ્યા હોય, ગમે તે માનીએ, પણ એક વાત નિશ્ચિત છે કે મૂળે એ આર્યવર્ગ બહુ નાનો હતો અને પશ્ચિમોત્તર પ્રદેશના અમુક ભાગમાં જ વસેલે. એ વર્ગ સિવાયની અનેક પ્રજાઓ આ દેશમાં હતી અને બહારથી આવી વસેલી, જે ઇતિહાસક્રમમાં આર્યવર્ગ પહેલાંની-પૂર્વવર્તી હતી. એવી પ્રજાઓના જુદા જુદા નામે ઉલ્લેખો વૈદિક વાલ્મયમાં મળે છે,૪ અને તે પ્રજાએને વૈદિક આર્યો આપેંતર તરીકે જ લેખે છે." આવી પ્રાચીનતર અને પ્રાચીનતમ પ્રજાઓમાં નેગ્રીટે, ઔસ્ટ્રિક, દ્રવિડ અને મેંગેલ એ મુખ્ય છે. ઐસ્ટ્રિકે નિષાદ નામથી, દ્રાવિડ દાસ-દસ્ય નામથી અને મેંગોલ કિરાત નામથી વ્યવહત થયા છે. આર્યવર્ગ નાનો - હતા, જ્યારે આ પૂર્વવતી પ્રજાઓ પ્રમાણમાં વધારે અને વિશાળ
પ્રદેશ ઉપર પથરાયેલી હતી. પૂર્વવર્તી પ્રજાઓનું અંદરોઅંદર રક્તમિશ્રણ અને સાંસ્કૃતિક મિશ્રણ થતું હશે એમાં શંકા નથી, છતાં વૈદિક આર્યોના આગમન કે સ્થિર નિવાસ અને ફેલાવા સાથે એ મિશ્રણ વિશેષ વેગીલું બન્યું. આ મિશ્રણનાં અનેક પાસાં છે. ભાષા, રક્તસંબંધ. સંસ્કૃતિ અને ધર્મએ બધાં ક્ષેત્રમાં મિશ્રણને પરિણામે એક બેનમૂન રસાયન સજયું છે, જે આજની ભારતીય કે હિન્દી પ્રજામાં દષ્ટિગોચર થાય છે. વૈદિક આર્યોની કવિભાષા કે શિષ્ટ ભાષા સંસ્કૃત હતી. એનું બીજું રૂપ તત્કાલીન પ્રાકૃત. પણ આ ભાષાએ પૂર્વવર્તી પ્રજાઓની બધી જ ભાષાઓનું સ્થાન લીધું. એ સ્થાન લેવામાં તેણે પૂર્વવત જુદી જુદી ભાષાઓનાં અનેક તો સ્વીકારી લીધાં અને પિતાના કલેવરને એટલું બધું શક્તિશાળી બનાવ્યું કે છેવટે બીજી ભાષાઓ એ સંસ્કૃત કે તદ્ભવ કે તત્સમ પ્રાકૃતના