SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શને અને યોગને વિકાસ કાં તો ઈશ્વરકથિત હોઈ તેમાં માનવીય બુદ્ધિને સ્વતંત્ર ફાળો નથી અને કાં તે સર્વ પ્રણીત હોઈ તે એક સંપૂર્ણ વ્યક્તિના પુરુષાર્થનું જ પરિણામ છે. પિતપોતાની ધર્મપરંપરા પ્રત્યે માણસનું મન અસાધારણ આદર સેવે, તેના પ્રત્યે સહેજ પવિત્રતાની શ્રદ્ધા પિષે ત્યાં લગી તે એ વાદે સત્યશોધનમાં બહુ આડે નથી આવતા, પણ જ્યારે જિજ્ઞાસુ સંશોધક વ્યક્તિ વસ્તુસ્થિતિ જાણવા ઇછે અને પ્રયત્ન કરે છે ત્યારે એ વાદે બહુ મોટું વિન ઊભું કરે છે. સાધારણ અનુયાયી વર્ગ પોતપોતાની ધર્મપરંપરાને સાવ આગવી માને અને બીજી પરંપરાઓ પાસેથી યા બીજા માનવજૂથ પાસેથી કાંઈ પણ નવું પિતાની પરંપરામાં આવ્યાનું નકારે ત્યારે સત્યની દૃષ્ટિ અવરાય છે. તેથી સંભવિત ઉદ્ભવસ્થાનના પ્રશ્નને લગતી વિચારણામાં આપણે એ વાદોને એક બાજુએ જ રાખવા પડશે; જોકે એ વાદોની આસપાસ સૂક્ષ્મ તાર્કિક અનુમાનો અને બીજી રસપ્રદ બૌદ્ધિક સામગ્રી ભારતીય દાર્શનિક સાહિત્યમાં એટલા મોટા પ્રમાણમાં સંચિત થઈ છે કે તે જોતાં અને વિચારતાં દરેક પક્ષકારના બુદ્ધિવૈભવ પ્રત્યે અને પોતપોતાના સંપ્રદાયને અનન્ય ભાવે ભજવાની વૃત્તિ પ્રત્યે માન ઊપજ્યા વિના રહેતું નથી. ઉપર સૂચવેલ અપૌરુષેયત્વે આદિ વાદે પ્રસ્તુત પ્રશ્નનો ઉત્તર વિચારવાની આડે આવે છે ખરા, છતાં પ્રાચીન સમયમાં પણ એક તત્વચિંતક અને સ્વતંત્ર પરંપરાના પુરસ્કર્તા તથાગત સુગતનું વલણ ઉક્ત વાદથી જુદું પડતું મળી આવે છે. તથાગતે પિતાના દાર્શનિક અને યોગને લગતા સિદ્ધાંત વિષે પોતાના શિષ્યો સમક્ષ શ્રીમુખે એવું કહ્યાનું નેંધાયેલું મળે છે કે હું જે કહું છું તે નથી અપૌરુષેય, નથી ઈશ્વરપ્રણીત કે નથી સર્વજ્ઞપ્રણીત. હું તો માત્ર એક ધર્મજ્ઞ છું. જે ધર્મ હું તમને સમજાવું છું તે જાણવા પૂરતી જ મારી મર્યાદા છે. એ ધર્મવિષયક અનુભવથી વધારે જાણવાનો કે કહેવાનો મારો દાવો નથી. તેથી તમે મારા કથનને તર્કથી અને સ્વાનુભવથી તપાસો-કસો;
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy