________________
જીવનની રૂપરેખા કરી. હરિભદ્ર સૂરિજીને પૂછયું કે ધર્મ એટલે શું અને તેનું ફળ શું? સૂરિજીએ કહ્યું કે સકામ અને નિષ્કામ એમ બે ધર્મ છે. તેમાંથી નિષ્કામ ધર્મનું ફળે તે ભવ-સંસારનો વિરહ એટલે મોક્ષ છે,
જ્યારે સકામ ધર્મનું ફળ સ્વર્ગાદિ છે. હરિભદ્રે કહ્યું કે “હું તે ભવવિરહમોક્ષ જ પસંદ કરું છું.” આથી તેમણે પ્રવજ્યા લેવાનું સ્વીકાર્યું અને જિનદત્તસૂરિ પાસે જેની પ્રવજ્યા લીધી. મેક્ષના ઉદ્દેશથી જ પ્રત્રજ્યા ભણી વળ્યા તેથી એમને મુદ્રાલેખ “ભવવિરહ” બની ગયો.
(૨) ચિતોડમાં જ બૌદ્ધ પરંપરાને પણ વિશિષ્ટ પ્રભાવ હતે. એ પરંપરાને અભ્યાસ કરવા ગયેલા પોતાના જિનભદ્ર અને વીરભદ્ર એ બે શિષ્યોનું ધર્મષને પરિણામે મૃત્યુ થયું. આથી હરિભદ્ર ઉદિન થયા, પણ શિષ્યની પેઠે ગ્રંથો પણ એક મહાન ધર્મવારસો છે એમ સમજી હરિભદ્ર ગ્રંથરચનામાં વિશેષ ઉઘુક્ત થયા. એમને જે દીક્ષાકાલીન “ભવવિરહ' મુદ્રાલેખ હતું તે તેમના મનમાં રમી જ રહ્યો હતે અને એ શિષ્યોના મૃત્યુથી થયેલ આઘાત પણ મન ઉપર હતે. આ આઘાતને શમાવવાનું બળ તેમને પોતાના મુદ્રાલેખમાંથી મળી ગયું. તેમને લાગ્યું કે સંસાર તે અસ્થિર જ છે. એમાં ઇષ્ટને વિગ એ કોઈ અસ્વાભાવિક ઘટના નથી, એટલે એ વિયોગ માટે અનુતાપ કરે તે કરતાં ભવવિરહ-મોક્ષધર્મને ઉદ્દેશી ગ્રંથરચનામાં એકાગ્ર થઈ જવું એ જ કતવ્ય છે. આ રીતે તેમણે પોતાના “ભવવિરહ” મુદ્રાલેખમાંથી આશ્વાસન મેળવ્યું અને શિષ્યોના વિરહજન્ય શકને શમાવ્યો. એ ઘટનાનું સ્મરણ તેમણે “ભવવિરહ' શબ્દમાં સાચવી રાખ્યું.
(૩) ત્રીજો પ્રસંગ એવો છે કે જ્યારે કઈ ભક્ત સૂરિને દર્શને આવો ત્યારે સૂરિ તેને આજે જેમ આશીર્વાદરૂપે “ધર્મલાભ ઉચ્ચારાય છે તેમ, “ભવવિરહ' ને આશીર્વાદ આપતા. સામેથી આશીર્વાદ પામનાર ભક્ત “ભવવિરહરિ ઘણું છે” એમ પણ