________________
જીવનની રૂપરેખા પ્રાકૃત આદિ ઇતર ભાષાપ્રધાન વિદ્યાઓથી છેક અપરિચિત હતા. જૈન દીક્ષા સ્વીકારી અને તેમણે પ્રાકૃત ભાષા તેમજ તેમાં લખાયેલ અને સુલભ એવાં જૈન પરંપરાનાં અનેકવિધ શાસ્ત્રોનું પારદર્શી અવગાહન કરી લીધું. આ રીતે એમણે પોતાના જીવનમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાની વિદ્યાઓને એકરસ કરી. જો તેઓ સંસ્કૃત ભાષા અને તેમાં નિબદ્ધ વિવિધ વિદ્યાઓના પારગામી ન હતી તે તેમને જૈન પરંપરાના પ્રાકૃતપ્રધાન વિવિધ વિષયોનું ટૂંકા સમયમાં એવું પારદર્શી જ્ઞાન ભાગ્યે જ થાત કે જેને લીધે તેમણે જૈન પરંપરાના મહત્વના ગણાય એવા કેટલાક આગમગ્રંથ ઉપર સંસ્કૃત ટીકા૨૮ લખી અને પ્રાકૃત ભાષામાં વિવિધ પ્રકારનું પુષ્કળ સાહિત્ય પણ રચ્યું. ૨૯
હરિભદ્ર પોતાના માતા, પિતા કે વંશ આદિને કઈ ઠેકાણે ઉલ્લેખ કર્યો નથી. જ્યારે તેઓએ પોતે પોતાની જાતને યાકિનીમહત્તરાના પુત્રરૂપે અને તે પણ ધર્મપુત્રરૂપે ઓળખાવી ત્યારે એ તેમના ટકા વિશેષણમાંથી કોઈ વિશિષ્ટ અર્થ ફલિત થતો મને ભાસે છે. મારી દષ્ટિએ તે અર્થ એ છે કે અજ્ઞાત સમયથી જાતિ અને ધર્મગત મિથ્યા અભિનિવેશને લીધે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા વચ્ચે જે એક પ્રકારની ખાઈ ચાલી આવતી તે યાકિની મહત્તરાના પરિચય દ્વારા હરિભદ્રના જીવનમાં પુરાઈ. આ ઘટનાનો તેમના જીવનમાં એટલે બધો પ્રભાવ પડ્યો લાગે છે કે તે પોતાના જન્મદાતા માતા-પિતાને યાદ નથી. કરતા, પણ એ મહત્તરાને ધમમાતા તરીકે ઉલ્લેખવામાં ગૌરવ લેખે છે. સામાન્ય રીતે જૈન સાધુ પોતાના વિદ્યા કે દીક્ષાગુર આદિને સ્મરે છે, પણ ભાગ્યે જ એ કઈ સાધુ કે આચાર્યું હશે કે જેણે કોઈ સાધ્વીનું સ્મરણ કર્યું હોય. ત્યારે હરિભદ્ર એક ટૂંકા વિશેષણમાં યાકિની દ્વારા પિતાના જીવનમાં થયેલ મહાન ફેરફારની સૂચના કરે છે અને પોતાને ધર્મપુત્ર કહી એ સાધ્વી પ્રત્યે જન્મદાત્રી માતા કરતાં પણ જાણે વિશેષ બહુમાન દાખવતા લાગે છે. એમના મનમાં એમ વસ્યું હોવું જોઈએ કે જો આ સાધ્વીને પરિચય થયું ન હતું તે