SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની રૂપરેખા સૌથી પહેલી મહાભાષ્યકાર પતંજલિએ (ઈ. સ. પૂર્વે બીજે સકે) લીધી છે. ૧૩ મધ્યમિકા વૈદિક પરંપરાનું કેન્દ્ર તો હતી જ, પણ તે ભાગવત પરંપરાનું તો વિશિષ્ટ કેન્દ્ર જ હતી. તેમ જ બૌદ્ધ અને જૈન ૧૪ આદિ પરંપરાઓનું પણ એ એક વિશિષ્ટ ક્ષેત્ર હતી. જ્યારે આ સ્થાન ઉત્તરોત્તર આક્રમણોને કારણે સુરક્ષિત ન રહ્યું, ત્યારે ચિત્રાંગદ નામના મીયે મધ્યમિકામાંથી ચિતેડમાં રાજધાની બદલી. ૧૫ તે પહાડ ઉપર હોવાને કારણે વિશેષ સુરક્ષિત બની. મધ્યમિકાના પ્રાચીન અવશેષો અત્યારે મળે છે. એમ લાગે છે કે મધ્યમિકામાંથી ચિતડ ઉપર રાજધાનીનું પરિવર્તન થવાની સાથે જ ચિતોડનો બધી રીતે વિકાસ થતો ગયે હશે; અને જે વિદ્યા તેમજ ધર્મની પરંપરાઓ મધ્યમિકામાં હતી તેમણે પણ ચિતોડના વિકાસનો લાભ લીધો હશે. એ ગમે તે હે, પણ એમ તો લાગે છે કે હરિભદ્રનું જન્મસ્થાન તળપદ ચિતોડ ન હોય તોય તે ચિતોડ અને મધ્યમિકામાંથી કોઈની સાથે વધારે સંબંધવાળું હોવું જોઈએ. બ્રહ્મપુરી એ સંકેત યથાર્થ હોય તો એમ પણ કહી શકાય કે તે ચિતોડ યા મધ્યમિકા જેવી નગરીનું કોઈ બ્રાહ્મણોની પ્રધાનતાવાળું પરું પણ હોય. આ રીતે જન્મસ્થાનને વિચાર કરતાં હરિભક પ્રાચીન ગુજરાતના પ્રદેશની બહુ દૂર નથી પડતા. માતા-પિતા હરિભદ્રનાં માતા-પિતાનું નામ માત્ર “કહાવલી'માં મળે છે. માતાનું નામ ગંગા અને પિતાનું નામ શંકર ભટ્ટ છે. ૧૬ ભટ્ટ શબ્દ જ સૂચવે છે કે તે જ્ઞાતિએ બ્રાહ્મણ છે. ગણધરસાર્ધશતકની સુમતિગણિકૃત વૃત્તિ (રચના સં. ૧૨૯૫)માં તે હરિભદ્રનો બ્રાહ્મણ તરીકે સ્પષ્ટ નિર્દેશ છે જ;૧૭ જ્યારે પ્રભાવચરિત્રમાં એમને રાજાના પુરોહિત કહ્યા છે. ૧૮ સાર એ છે કે તે જન્મે બ્રાહ્મણ હતા. જો બ્રહ્મપુરી નામ વિષેની ઉપર સૂચવેલ કલ્પના સાચી હોય તે હરિભદ્ર બ્રાહ્મણ હોવાની માન્યતાને એનાથી વધારે પુષ્ટિ મળે છે. પ્રાચીન
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy