SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની રૂપરેખા પરંતુ ગુજરાતના બહુશ્રુત અને સુવિદ્વાન શ્રી. રસિકલાલ છો. પરીખે કાવ્યાનુશાસનના બીજા ભાગની પિતાની સુવિસ્તૃત અને સુસંબદ્ધ પ્રસ્તાવનામાં છેડા પણ શબ્દોમાં આચાર્ય હરિભદ્રનું મૂલ્યાંકન કર્યું છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. હવે તે હરિભદ્રના ગ્રંથે વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યા છે. ખાસ કરીને તેમણે જે દર્શન અને વેગને લક્ષીને ઉદાત્ત ગ્રંથ રચ્યા છે તે તરફ વિદ્વાને ઉત્તરોત્તર વધારે ને વધારે આકર્ષાતા જાય છે. એવી સ્થિતિમાં, મને વિચાર આવ્યો કે, હરિભદ્રના દર્શન અને યોગ પરંપરાને લગતા પ્રથોમાં એવી કઈ કઈ વિશેષતા છે કે જે તરફ અભ્યાસીઓનું લક્ષ વધારે ખેંચાવું જોઈએ ? આ વિચારથી મેં આ વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્ર વિષે ચર્ચા કરવાનું પસંદ કર્યું છે અને તે પણ મુખ્યયા તેમની કેટલીક વિશિષ્ટ કૃતિઓને લઈને. એ કૃતિઓ પણ એવી કે જે ભારતીય સમગ્ર દર્શન પરંપરાને અને વેગ પરંપરાને સ્પર્શતી હોય. જે કૃતિઓને લઈ આ વ્યાખ્યાતેમાં હું ચર્ચા કરવા ધારું છું તેની અસાધારણતા શી છે તે તે આગળની ચર્ચાથી સ્પષ્ટ થઈ જશે. મેં પાંચ વ્યાખ્યાને નીચેના ક્રમમાં આપવા ધાર્યા છે. પહેલામાં આચાર્ય હરિભદ્રના જીવનની રૂપરેખા; બીજામાં દર્શને અને યોગના સંભવિત ઉદ્ભવ સ્થાને, તેને પ્રસાર, ગુજરાત સાથે તેને સંબંધ અને તેના વિકાસમાં હરિભદ્રનું સ્થાન, ત્રીજામાં દાર્શનિક પરંપરામાં હરિભદ્ર નવું શું ઉમેર્યું તેને વિચાર; ચેથા અને પાંચમામાં હરિભદ્ર ગપરંપરામાં શી અને કેવી વિશેષતા અપી તેનું યથાસંભવ વિસ્તૃત કથન. આચાર્ય હરિભદ્રના જીવન અને કાર્યને સૂચવતું અને તેનું વર્ણન કરતું સાહિત્ય લગભગ તેમના સમયથી જ લખાતું અને વૃદ્ધિ પામતું રહ્યું છે. પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, જર્મન અને અંગ્રેજી આદિ ભાષાઓમાં અનેક વિદ્વાનો અને લેખકેએ એમના
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy