________________
ગા
સમદર્શ આચાર્ય હરિભદ્ર ખાસ ખાસ ગ્રંથનાં ગુજરાતી ભાષાંતરે પણ કર્યો. આ રીતે જોઈએ તે નવયુગને પ્રભાવે આચાર્ય હરિભદ્ર એ માત્ર કોઈ એક ધર્મ પરંપરાના વિદ્વાન ન રહેતાં સાહિત્યના અનન્ય વિદ્વાન અને ઉપાસક લેખે વિદ્વાનોમાં સ્થાન પામ્યા.
આચાર્ય હરિભદ્રનું સાહિત્ય જેણે જેટલા પ્રમાણમાં અવગાહ્યું તે તેટલા પ્રમાણમાં એમની વિદ્વત્તા અને તટસ્થતા પ્રત્યે આકર્ષાયા, પણ ઈસ્વી સનના વીસમા સૈકાના પ્રારંભથી તો હરિભદ્રની ખ્યાતિ ઉત્તરોત્તર વધતી ચાલી અને તેમની કૃતિઓ જોવાનું, તેનું સંપાદન કરવાનું આકર્ષણ વિદ્વાનોમાં વધતું ચાલ્યું.
ડૉ. એ. બી. ધ્રુવે ૧૯૦૯માં “ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય : એ વિષયનું થોડુંક રેખાદર્શન' આ નામને એક નિબંધ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વાંચેલું અને ૧૯૪૭માં શ્રી દુર્ગાશંકરભાઈએ “ભારતીય સંસ્કારોનું ગુજરાતમાં અવતરણ” એ મથાળા નીચે પાંચ વ્યાખ્યાન આપેલાં. આ બન્ને બહુશ્રુત અને ઉદારતા વિદ્વાનોના લખાણમાં વલભીના ભદિ, ભિન્નમાલના બ્રહ્મગુપ્ત અને માઘ આદિને નિર્દેશ છે. ભદિ, બ્રહ્મગુપ્ત અને માઘ જેવા જે વિદ્વાનોની અદ્યાપિ એક એક કૃતિ જ જાણીતી છે તેમનો નિર્દેશ હોય અને એ જ પ્રાચીન ગુજરાતની સુપ્રસિદ્ધ રાજધાની ભિન્નમાલ અને એની આસપાસના પ્રદેશમાં રહી જેણે સંખ્યાબંધ કૃતિઓ રચી અને જે આજે પણ ઉપલબ્ધ છે તેનો નિર્દેશ તેમાં ન હોય એ જોઈ સહેજે કોઈને પ્રશ્ન થાય કે એવા વિશિષ્ટ વિદ્વાનને પરિચય અપાવો કેમ રહી ગયો હશે ? પણ મને લાગે છે કે જે આચાર્ય હરિભદ્રની દર્શન અને યોગ પરંપરાને લગતી વિશિષ્ટ કૃતિઓ એ બને મહારથીઓના અવગાહનમાં આવી હોત તે એમનું એ પ્રત્યે સવિશેષ ધ્યાન ગયા સિવાય કદી રહી શકત નહિ. એવો પણ સંભવ ખરો કે એમની દૃષ્ટિએ હરિભદ્ર ગુજરાતની સીમામાં આવી જતા ન હોય.