SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની રૂપરેખા હરિભદ્ર જેવા પ્રતિભાસ ંપન્ન વિદ્વાનની કૃતિ વિષે સાવ મૌન દેખાય છે, ત્યારે એક કર્ણાટકનિવાસી અને કાશીવાસી પ્રકાંડ પંડિત ભાસ્કરરાયનું ધ્યાન હરિભદ્રના ગ્રંથ તરફ જાય છે; અને તે મૂળ ગ્રંથ પણ સંસ્કૃત નહિ પણ પ્રાકૃત. આવા પ્રાકૃત ગ્રંથ તરફ એક દૂરવર્તી વૈદિક વિદ્વાનનું ધ્યાન જાય અને તે પણ એક દાાનિક મુદ્દાને લક્ષીને, ત્યારે એમ માનવું રહ્યું કે આચાર્ય હરિભદ્ર એ ખીજી રીતે ભલે અજ્ઞાત જેવા રહ્યા હોય, છતાં તેમની કૃતિ અને તેમના વિચારામાં અહુશ્રુત વિદ્વાનોને આકર્ષવા જેટલું સામર્થ્ય તો છે જ. લગભગ દોઢસ। વર્ષ થયાં કે પાશ્ચાત્ય સશાધક વિદ્વાનાનું લક્ષ પુરાતત્ત્વ, સાહિત્ય આદિ જ્ઞાનસાધનેાથી સમૃદ્ધ એવા પૌરસ્ય ખજાના ભણી વળ્યું અને પ્રે. કિલ્હાન, ખુલ્લર, પિટન, યાર્કાબી જેવા વિદ્યાનાએ જૈન ભડારા જોયાપ અને તેનેા તાગ મેળવવા પ્રયત્ન કર્યાં, એને પરિણામે ભારતમાં અને ભારત બહાર જ્ઞાનની એક નવી દિશા ઊઘડી. આને પરિણામે આચાય હરિભદ્ર, કે જે ત્યાર લગી માત્ર એક પર પરાના વિદ્વાન અને તેમાં જ અવગત હતા તે, હવે સર્વવિદિત થયા. યાકૈાખી, લોયનૅન, વિન્ટનિલ્સ, સુવાલી અને શુથિંગ આદિ અનેક વિદ્વાનેાએ, જુદે જુદે પ્રસંગે, આચાય હરિભદ્રના ગ્રંથા અને જીવન વિષે ચર્ચા કરી. યાકેાખી, લયમૅન, સુવાલી આદિ વિદ્વાનોએ તા હરિભદ્રના જુદા જુદા ગ્રંથાનું સંપાદન કર્યું. એટલું જ નહિ, પણ કાકમાં તે ભાષાંતર કે સાર પણ આપવામાં આવેલ છે.૬ આ રીતે હરિભદ્ર જન, અંગ્રેજી આદિ પાશ્ચાત્ય ભાષા જાણનાર વિદ્રાનાના ધ્યાન ઉપર એક વિશિષ્ટ વિદ્વાન તરીકે ઉપસ્થિત થયા. ખીજી બાજુ પાશ્ચાત્ય સંશાધનદષ્ટિનાં જે આંદોલને ભારતમાં ઊઠયાં તેને લીધે પણ હરિભદ્ર વધારે પ્રકાશમાં આવ્યા. ઓગણીસમી સદીના ચોથા પાદમાં સાક્ષરશિામણિ મણિલાલ નભુભાઈનું ધ્યાન આચાર્યાં હરિભદ્રના ગ્રંથા ભણી ગયું. એ પુરુષાર્થા વિદ્વાને હરિભદ્રના જે ગ્રંથા હાથ લાગ્યા અને જે એમની મર્યાદા હતી તદ્દનુસાર તેમાંથી
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy