________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર ઉપર અપાયેલાં ઉદાત્ત પાંચ ભાષણો સાંભળતા હતા ત્યારે જ મનમાં વિચાર આવ્યો કે શું ગુજરાતે ભારતીય સંસ્કારોનું માત્ર અવતરણ જ ઝીલ્યું છે કે એ અવતરણ ઝીલી, આત્મસાત કરી, પચાવી, પિતાની વિશિષ્ટ પ્રતિભા અને પરંપરાના બળે, એ અવતરણને કોઈ અપૂર્વ કહી શકાય એવો આકાર પણ આવે છે કે જે આકાર ભારતીય સંસ્કારમાં એક મનોરમ અને નવી ભાત પાડે? આ વિચારથી
જ્યારે હું મારા પરિશીલનનું પ્રત્યક્ષણ અથવા પુનરવલોકન કરવા પ્રેરાયો ત્યારે મારા માનસપટ ઉપર ગુજરાતમાં થયેલી શાંતિદેવ, ભદિ, ક્ષમાશ્રમણ સિંહગણી અને જિનભદ્રગણી, આચાર્ય હેમચંદ્ર, વાચક યશોવિજયજી જેવી કેટલીયે વિભૂતિઓ અંકિત થઈ ગઈ, પણ આજે તે મેં એ વિભૂતિઓમાંથી એકને જ પસંદ કરેલ છે. તે એક - વિભૂતિ એટલે યાકિનીસૂનુ આચાર્ય હરિભદ્ર.
પ્રાચીન ગુજરાતે પિષેલ અને વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની તક આપેલ એવી આ વિભૂતિ છેલ્લાં લગભગ દોઢસો વર્ષ પહેલાં તો માત્ર જૈન પરંપરામાં જ જાણીતી હતી. હું જાણું છું ત્યાં લગી આચાર્ય હરિભદ્ર વિષે એ કાળમાં જૈન પરંપરા સિવાય બીજું કોઈ જાણતું હોય તે તે “લલિતાસહસ્ત્રનામ '૨ ગ્રંથના ભાષ્યકાર ભાસ્કરરાય એક જ. ભાસ્કરરાય મૂળે કર્ણાટકનિવાસી. તે કાશીમાં આવીને રહેલા. એમણે ગુજરાતના સુરત શહેરનિવાસી પ્રકાશાનન્દ નામના ઉપાસનામાના આચાર્ય પાસે પૂર્વાભિષેક દીક્ષા લીધેલી. ભાસ્કરરાય વિક્રમના અઢારમા સૈકામાં થયેલા છે. તેમણે પિતાના એ સૌભાગ્યભાસ્કર” નામના ભાગમાં–
प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी ।
मूलप्रकृतिरव्यक्ता व्यक्ताव्यक्तस्वरूपिणी ॥ १३७ ।। એ પદ્યની વ્યાખ્યા કરતાં આચાર્ય હરિભદ્રના ધર્મસંગ્રહણ નામક પ્રાકૃત ગ્રંથની એક ગાથા પ્રમાણુરૂપે ટાંકી છે. નવાઈ જેવું તો એ છે કે શ્વેતાંબર સિવાયના બીજા જૈન ફિરકાઓ સુધ્ધાં જ્યારે