SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હર સમદર્શી આચાય હરિભદ્ર દાખલાના ભાવ એવે છે કે કાઈ સ્ત્રી પતિને વશ રાખવા કાઈ પાસેથી જડીબુટ્ટી લઈ પતિને ખવરાવી પશુરૂપે એને ચારતી અને ખીજી જડીબુટ્ટીથી પોતાને ફાવે ત્યારે પતિને પુરુષરૂપે બનાવી લેતી. કયારેક અનેક વનસ્પતિઓના જંગલમાં તે ખાઈ વારક જડીબુટ્ટી ભૂલી ગઈ અને ઊડા વિષાદમાં પડી. દરમિયાન ત્યાંથી પસાર થતા કાઈ યેાગ્ય મહાનુભાવે એ બાઈનું દુઃખ જાણી ઉચ્ચાયુ કે એમાં વિષાદ શે ! એ વારક જડીબુટ્ટી પણ ત્યાં જ છે. એટલે એ ભાઈ બધી જ વનસ્પતિને ચરાવશે તે તેમાં પેલી વારક બુટ્ટી પણ બળદ ચરશે અને તે મૂળરૂપમાં આવી જશે. આ આકાશવાણી સાંભળી તે ખાઈ એ તદનુસાર કર્યું અને બળદ બળદ મટી મૂળ પુરુષરૂપ થયેા. આ દૃષ્ટાન્ત કાઈ જુનું હાવાનેા સંભવ છે, પણ હરિભદ્રે એને વિનિયેાગ સર્વ દેવા પ્રત્યે સમાન આદર રાખવાના ભાવમાં કરી જુદા જુદા પંથે વચ્ચે દેવેને નામે ચાલતી સાઠમારી નિવારવાને એક સર્વધર્મ સમન્વયસૂચક સામાજિક મા દર્શાવ્યા છે. તેમણે ગુરુએ અને દેવા પ્રત્યે દાખવવાની ભક્તિ ઉપરાંત ખીજુ` એક મહત્ત્વનું સામાજિક કર્તવ્ય પણ સૂચવ્યું છે. તે એ કે રાગી, અનાથ, નિન આદિ નિઃસહાય વર્ગોને મદદ કરવી. પરંતુ એ મદદ એવી ન હેાય કે પેાતાને આશ્રિત હેાય એવા જનેાની એમાં ઉપેક્ષા થવા પામે.પ૭ આધ્યાત્મિક યા લેાકેાત્તર ધર્મો સાથે આવાં અનેકવિધ લૌકિક કબ્યાની સાંકળ જોડી હરિભદ્રે જૈન પરપરાને પ્રવર્તક ધર્મોનું મહત્ત્વ જે વિશદતાથી સમજાવ્યું છે તે નિવૃત્તિલક્ષી જૈન પરપરામાં તૂટતી કડીનું સધન કરે છે. ( ૮ ) જૈન પરંપરાની આધ્યાત્મિક વિકાસક્રમને સૂચવતી ચૌદ ભૂમિકાએ ‘ગુણસ્થાન ’ નામથી જાણીતી છે. પરંતુ હરિભદ્રે એ ભૂમિકાને ‘ યાગબિંદુ 'માં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસક્ષય એવા માત્ર પાંચ ભાગમાં જ ગાઠવી નિરૂપી છે.૫૮ એ સાથે જ તેમણે સાંખ્ય-યાગ પરંપરાની સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy