________________
૩૪ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
- હિંદી “ ને ઔના ગુજરાતીમાં “એ ને “એ” થાય છે. હિં. વૈઠા-ગુજ બેઠે; હિં. વૌવા ગુજ0-ચોથે. રાજસ્થાનમાં એથી પણ નમ્ર સ્વરૂપ બને છે. હિંદીમાં ઘણા શબ્દમાં જ હોય છે તેને ગુજરાતી ને રાજસ્થાનમાં “અ” થાય છે.
હિં. ;િ ગુજ, લખે હિં. હિન; ગુજ૦ ને રાજ૦ દન વળી, હિંદી “ઉને બદલે ગુજરાતીમાં ને રાજસ્થાનમાં “અ થાય છે. હિં. તુમ; ગુજને રાજ તમે
ગુજરાતીમાં સંસ્કૃત ને પ્રાકૃતની માફક બાહ્ય પ્રદેશની મરાઠીની પેઠે નપુંસક લિંગ રહેલું છે. હિંદીમાં નથી. મરાઠીમાં ત્રણે જાતિ છે. પશ્ચિમ હિંદી અને રાજ, સ્થાનીની ગ્રામ્ય બેલીઓમાં નપુંસકના કેઈ કઈ દાખલા મળે છે. અન્યત્ર માત્ર પ્રશ્નાર્થ સર્વનામમાંજ નપુંસક લિંગ છે.
ઉલી અને બંગાળી સિવાય બીજી બધી દેશી ભાષાઓમાં વર્તમાનકાળને અર્થ બદલાયો છે, તેથી તેની સાથે છે કે “હે ધાતુનાં રૂપ વાપરવાં પડે છે. ગુજરાતી, સિંધી, પંજાબી, અને હિંદીમાંથી આજ્ઞાર્થ જતો રહ્યો છે, પણ મરાઠી, ઉત્કલી, ને બંગાળી, એ બાહ્ય ભાષાઓમાં રહ્યો છે. ગુજરાતીમાં અને વ્રજ ભાષામાં ભવિષ્યકાળ છે. આ સ્વતન્ત કાળની વાત કહી. મિશ્રકાળ, બહુધા કૃદન્તને અંગ ગણું તેની સાથે સાહાટ્યકારક ક્રિયાપદનાં કાળનાં રૂ૫ વાપરવાથી થાય છે. જૂની વ્રજભાષામાં વર્તમાનકાળનાં અપભ્રંશનાં રૂપ બદલાયા વિનાનાં જોવામાં આવે છે; તેમજ સિંધી, ગુજરાતી, ને પંજાબીનાં વર્તમાનકાળનાં રૂ૫ અપભ્રંશ પરથી જ આવ્યાં છે. અપભ્રંશમાં જેવો ભવિષ્યકાળ છે તે ગુજરાતીમાં જોવામાં આવે છે; કેમકે અપભ્રંશ શૌરસેની સાથે જોડાયેલી છે અને શરસેનના ભવિષ્યના રસ પ્રત્યય પરથી ગુજરાતીમાં ભવિષ્યકાળને “શ” પ્રત્યય આવ્યો છે. વળી શીરસેનીને અવ્યયકૃદન્તને પ્રત્યય ફૂગ, મ લપાઈ, સિંધી, ગુજરાતી, પંજાબી, ને રાજસ્થાનમાં રુના રૂપમાં માલમ પડે છે.
આ પ્રમાણે ગુજરાતી ભાષા શૌરસેની પ્રાકૃત અને અપભ્રંશમાંથી ઉદ્ભવી છે. તે ને રાજસ્થાની, બંને, પશ્ચિમ હિંદીની પ્રાન્તિક બેલીઓ જેવી છે અને જેપુરી ને મારવાડી સાથે ગુજરાતીને ઘણે સંબંધ છે,