SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નિત્યસમાસ-જે સમાસને વિગ્રહ સમાસમાં વાપરેલાં પદથી થઈ શક્તિ નથી; એવા સમાસ નિત્યસમાસ કહેવાય છે. અવ્યયીભાવ એ એવા સમાસ છે. ચતુર્થીતપુરુષ “પ્રીત્યર્થ પૂજા” પણ એવો છે. પંદરાદિ-કેટલાક નિયમ વિરુદ્ધ સમાસને સંસ્કૃતમાં આ વર્ગમાં મૂક્યા છે. એ વર્ગને આદિ સમાસ પૃદર હોવાથી એ પૃપોદરાદિ કહેવાય છે. એમાં કેટલાંક પદમાં “ ટિને લોપ થયો હોય છે અને કેટલામાં વર્ણમાં ઘણે વિકાર થયે હોય છે. દાખલા: પૃષોદર (પૃષ+ઉદર; પૃષતનું–જળબિંદુનું ઉદર; અથવા તે પૃષત છે ઉદર જેનું; પવન)-આ સમાસમાં “પૃષને ‘ત લેપાયો છે. મનીષા-બી (મનસઈષા-પી; મનીષા બુદ્ધિમનીષીવિદ્વાન). આમાં “મનસૂની ‘ટિ લપાઈ છે. વલાહક-મેઘ (વારિવાહક)-વર્ણમાં વિકાર થયો છે. મશાન (મન=શબ; શબ શયન કરે છે જેને વિષે તે) જીમૂત (જીવન-જળ મૂત–બદ્ધ છે જે વડે તે; મેઘ) દિવકિસ્ (દિ–આકાશ છે એકર્ L. pikos-ઘર જેનું તે)-“ઓને ઠેકાણે “ઓ થયું છે. પિશાચ (પિશિત-માંસને આચમે-માંસનું ભક્ષણ કરે તે). અશ્વત્થામા (સ્થામન’ના “ને “ત થયો છે) પારસ્કરાદિ-કેટલાક સમાસમાં પૂર્વપદને “સ” આગમ આવે છે, તેને આ વર્ગમાં મૂક્યા છે. પારસ્કર (દેશનું અને મુનિનું-ગૃહ્યસૂત્રના કર્તાનું નામ) વનસ્પતિ (વનને પતિ, પછીતપુ.) બૃહસ્પતિ (બૃહત-વાણી. - લપાઈ “સ આગમ આવ્યું છે.) પ્રાયશ્ચિત્ત (પ્રાય ત૫; ચિત્ત નિશ્ચય; એ બેને સંગ) સુસુપ્સમાસ-જે સમાસ પૂર્વોક્ત વગોંમાં-ધન્ડ, તપુર, બહુવ્રીહિ, અને અવ્યયીભાવમાં–આવી શકતા નથી તે સુસુ સમાસ કહેવાય છે. “સુ” એ સંસ્કૃતમાં નામિકી વિભક્તિના સર્વ પ્રત્યેનું (૭–સ્ પ્ર. એ. વ.થી તે -સુ સ. બ. વ. પર્યતનું) નામ છે. અર્થાત, એક વિભકત્યન્ત પદ બીજા એવા વિભકત્યન્ત પદ સાથે સમાસ પામે છે તે સમાસ સુસુપ્સમાસ કહેવાય છે. સમાસના સૂક્ષ્મ દૃષ્ટિથી નિયમ
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy