________________
જોવા અને દૂર કરવા. પણ મુખ્યત્વે અહમ્ને કારણે તટસ્થ નિરીક્ષણ બની શકતું નથી. પણ જે કંઈ પ્રતિકૂળ બને તેમાં પરદોષ જોવો અને અનુકૂળ બને તો સ્વાભિમાન પોષવું, આવી પ્રતિક્રિયા અહમ્ને કારણે થતી રહે છે. માટે એકાંતે સ્વનિરીક્ષણ કરવું અને મનની વૃત્તિઓને સમજી તેમાંથી દોષોને છાંડવા અને ગુણોની વૃદ્ધિ થાય તેવો ઉત્તમ જીવનક્રમ રાખવો. તેના સંદર્ભમાં આ સ્વાધ્યાયમાં અભ્યાસની દૃષ્ટિએ કેટલીક રજૂઆત કરી છે.
ભારતના સર્વદર્શનના આચાર્યોએ અને દ્રષ્ટાઓએ એક વાત કહી છે કે, સંસારનાં સુખદુઃખાદિનું કારણ મનની અધોમુખતા, બહિર્મુખતા કે અશુદ્ધતા છે. એ મનને જીતવું અતિ દુષ્કર છે. માટે પ્રથમ મનને શુદ્ધ કરો, શાંત કરો કે સંયમમાં રાખો. તે પછી સાચા માનવજીવનનો પ્રારંભ થાય છે. દ્રવ્ય મન-સ્થૂલ મન-બાહ્ય મન જડ છે તે આત્માના ચેતનાના ઉપયોગ વડે સંચારિત થાય છે.
આત્મા તો સ્વયં શુદ્ધ અને ચેતન ગુણવાળો છે. જડ મન આત્માનું શું બગાડી શકે ? દ્રવ્યમન ભાવમનના-આત્મઉપયોગ વડે સંચારિત થાય છે. જો તે બાહ્ય વિષયોમાં ભમે તો જીવને બંધનરૂપ છે અને અંતરમુખ થાય તો મુક્તિનું સાધન બને છે.
આત્મા તત્ત્વતઃ શુદ્ધ હોવા છતાં વર્તમાનની અશુદ્ધદશાનું કારણ મન-વચન-કાયાના અશુદ્ધ યોગો છે, તેમાં મનની કષાયરૂપ અશુદ્ધિની મુખ્યતા છે.
શ્રી આનંદઘનજીએ સત્તરમા શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મનની વિવિધ ચેષ્ટાઓ બતાવી છે :
મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાને અભ્યાસે; વયરીડું કંઈ એહવું ચિંતે નાખે અવળે પાસે, હો કુંથુજિન મનડું ક્મિ હી ન બાજે.
મુક્તિની અભિલાષાથી તપ કરે, પણ અજાગ્રત રહે તો તો ક્રોધની ગર્તામાં જીવ પડી જાય. જ્ઞાનારાધન કરવામાં આત્માભાન ભૂલે તો અહમ્ માથું ઊંચું કરે. ધ્યાનીને લબ્ધિની લાલસા જગાડે અને મુક્તિની અભિલાષાને ઊલટી કરી નાખે, આવું આ મન કેમે
८०