________________
મનઃશુદ્ધિ અને સ્વનિરીક્ષણ
ધ્યાનમાર્ગમાં મનઃશુદ્ધિનું એક ઈમારતના પાયા જેવું સ્થાન છે. મનઃશુદ્ધિ વગર ધ્યાન એ કલ્પના કે વિડંબના થઈ શકે છે. જૈનદર્શનમાં સમ્યગદર્શન-દૃષ્ટિ વિનાની કોઈ પણ ક્રિયા છાર પર લીંપણ કરવા જેવી કહી છે; તેમ યોગીઓએ મનઃશુદ્ધિ કે ચિત્તનિરોધ વગરની ધ્યાનાદિ સર્વ ક્રિયાને નિરર્થક કહી છે, તેથી તેઓએ યમ નિહિત અહિંસાદિ પાંચ આચાર, અને નિયમ નિહિત ભક્તિ ઈત્યાદિ વડે મનઃશુદ્ધિના ઉપાયો દર્શાવ્યા છે, તેમાં ખાસ ચિત્તવૃત્તિનિરોધનો સંદર્ભ પ્રરૂપ્યો છે.
ધ્યાનમાર્ગના યાત્રીએ સૌપ્રથમ મનઃશુદ્ધિ માટે ઉદ્યમી થવું. તે માટે ગૃહસ્થ સાધકે સદાચાર, શુદ્ધવ્યવહાર, દાન-દયાદિ જેવા સત્કાર્યો, નિર્દોષ પ્રેમ, ઉદારતા ઈત્યાદિ ગુણો અગત્યના છે. એ ગુણો વડે મનઃશુદ્ધિ થાય છે. તે પછી તપ સંયમ જેવાં અનુષ્ઠાનોથી વિશેષ શુદ્ધિ થતાં આ સાધનામાર્ગમાં ઘણો ત્વરિત વિકાસ થાય છે. એનાં ઉત્તમ પરિણામો જાણીને જીવન કૃતાર્થ થતું અનુભવાય છે, વ્યવહારશુદ્ધ જીવન સ્વપરને આનંદ અને શાંતિદાયક થાય છે. વળી શુદ્ધ આચરણ વડે સાધક વૈરાગ્યભાવને, અનાસક્તભાવને દઢ કરી શકે છે. તે માટે મનઃશુદ્ધિ એ આ માર્ગમાં પ્રારંભથી અંત સુધી અગત્યનું અંગ છે. મનઃશુદ્ધિ દ્વારા ચંચળતા શમે છે, સ્વનિરીક્ષણ તટસ્થભાવે થાય છે અને ચિત્તસ્થિરતાની ક્ષમતા વધે છે, તેને માટે કેટલુંક દિશાસૂચન આ સ્વાધ્યાયમાં કરવામાં આવ્યું છે.
ધ્યાનમાર્ગમાં સ્વનિરીક્ષણ એ દોષોને દૂર કરવાની એક પ્રક્રિયા છે. આ નિરીક્ષણ મનઃશુદ્ધિ પછી તટસ્થપણે થઈ શકે છે. મન ક્લેશદોષયુક્ત હોય ને સાધક સ્વનિરીક્ષણ કે અવલોકન કરે તો બિનપક્ષપાતે અર્થાત્ સ્વબચાવ રહિત તે થઈ શકે નહિ.
જીવની પ્રકૃતિમાં ક્રોધ, કપટ, માન કે લોભ જેવા તી પ્રતિભાવો ઊભા હોય અને નિરીક્ષણ થાય તો તે, એક ચોક્કસ ચોકઠાની પ્રતિક્રિયા હશે પણ તટસ્થ નિરીક્ષણ નહિ હોય. તેથી સ્વનિરીક્ષણ વડે સ્વદોષ
૭૯