________________
પ્રથમ તીર્થંકરપદનું ઉત્તમ નામકર્મ ઉપાર્જન થયું. રાજા શ્રેણિક પરમાત્માને ધ્યાવવાથી ભાવિ પરમાત્મા થયા.
પ્રભુ મહાવીર ચોવીશમાં. પ્રભુ સાત હાથની કાયા. પ્રભુ બોંતેર વર્ષનું આયુષ્ય.
પદ્મનાભ પ્રથમ તીર્થંકર. પદ્મનાભ સાત હાથની કાયા. પદ્મનાભ બોતેર વર્ષનું આયુષ્ય.
આ રીતે મહાવીરશાસનની પવિત્ર કડી પદ્મનાભ-શાસન સાથે ગૂંથાઈ જશે.
શ્રેણિક, વીરને ભજીને વીર બન્યો. નરકાયુષ્યને સમતાભાવે વીરતાપૂર્વક ક્ષીણ કરશે. પરમાત્મપદને પામી, જગતના કલ્યાણ માટે તીર્થનું પ્રવર્તન કરશે અને તે જન્મ પણ નિર્વાણ માટે થશે. સમ્યજ્ઞાનાદિને ક્રમે, ઊર્ધ્વશ્રેણિની આ ચમત્કૃતિ છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી સાચું જીવન પ્રારંભ થાય છે. સાચા સુખની દિશા સંપ્રાપ્ત થાય છે. સાચું સુખ એ કે જેમાં દુઃખની છાયા નથી. આવો ધર્મ એ છે કે જેમાં અધર્મનો અંશ નથી. સાચું જ્ઞાન એ છે કે જેમાં અજ્ઞાનનો લેશ નથી. ઊર્ધ્વગતિ કે જેમાં આવાગમનનો સંદેહ નથી.
સંસારી જીવને જ્યાં સંકલેશ પરિણામ વર્તે છે ત્યાં સાચા સુખની શીતળ છાયા કેમ પ્રાપ્ત થાય ! સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે. સંસારભાવ ત્યાગી પોતાના સિદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરે સ્વરૂપનું અનુસંધાન થાય. ખેડૂત અનાજને વાવીને જપતો નથી. અનાજ ઘરભેગું કરીને સંતોષ માને છે તેમ સાધક નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરીને સંતોષ માને છે. સમ્યગ્દર્શનના ધ્યાન દ્વારા મોક્ષ પ્રગટે છે.
સાધકની આર્જવતા
“ભમતા મહાભવસાગરે પામ્યો પસાયે આપના,
જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ હું છું ખરું, કોની ક્લે કિરતાર આ પોકાર જઈને હું ક્યું ?' રત્નાકરપચ્ચીસી (ગુજરાતી)
७८