SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આખો દિવસ ભીંત પર પાડાઓને ચીતરી ચીતરીને મારતો ગયો ત્યારે જ દિવસ પૂરો થયો.” - રાજા ક્ષોભ પામી નિરાશ થયો. હવે ત્રીજો આખરી ઉપાય બાકી હતો. ત્રીજા દિવસના પ્રભાતે રાજા પૂણિયાજીની ઝૂંપડીએ પહોંચે છે. પૂણિયાજી ઉચિત સત્કાર કરી રાજાજીની પાસે બેસે છે. પૂણિયાજીની સમતારસભરપૂર મુખમુદ્રા નિહાળીને રાજા પ્રસન્ન થાય છે. ખૂબ વિનયપૂર્વક પોતે પ્રભુને દર્શાવેલા ઉપાયને જણાવે છે. અને કહે છે : “એક સામાયિકની આપ જે કિંમત કહેશો તે ચૂકવી દઈશ. પૂરું રાજ્ય તમારે ચરણે ધરી દઈશ પણ એક સમાયિકનું ફળ મને આપો.” પૂણિયાજીએ કહ્યું: “સામાયિકની કિંમત કેવળ પ્રભુ જ જાણે છે. તેમને પૂછીને આવો.” હસતાં બાંધેલાં કર્મ રોતાં છૂટતાં નથી. સમ્રાટ છતાં કેવી દીનદશા? સૌ સંસારી જીવની દશા આવી કર્માધીન છે. શ્રેણિક રાજા પૂણિયાજીના સાંનિધ્યથી વિચારમાં પડી ગયા. પ્રભુ પાસે પહોંચતાં સુધીમાં તો આત્મવિચારે જન્મ લીધો. પોતાના અજ્ઞાનથી બંધાયેલી દુર્ગતિની એ નિયતિનો સ્વીકાર થઈ ગયો. હવે બીજો કોઈ પ્રશ્ન ન હતો. પણ જીવન તલસતું હતું કે, “હે પ્રભુ ! ગતિ જે થવાની હો તે થાવ, મને ધર્મબોધ આપો! મને આપના જેવા થવાનું સામર્થ્ય આપો.” વીતરાગ દેવની ભક્તિ જીવને સામર્થ્ય આપે છે, દર્શન શ્રદ્ધા આપે છે, બોધ જ્ઞાન આપે છે. શ્રેણિકે ત્રિયોગની સમગ્રતા અને એકાગ્રતા વડે જીવન પ્રભુભક્તિમાં લીન કરી દીધું. પ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં રોજ અમુક ડગલાં ચાલી વંદન કરવું, રાજકાજમાં અમુક સમયને આંતરે આંખ બંધ કરી પ્રભુની મુદ્રાને નીરખી લેવી અને “વીર.વીર'નું સ્મરણ કરવું. શ્રેણિક આવા ક્રમમાં જોડાઈ ગયા. પ્રભુના આગમન સમયે પૂર્ણ ભક્તિ વડે બોધ પામી એમણે સાયિક સમ્યકત્વને પ્રાપ્ત કર્યું અને ભાવિ ચોવીશીના પાનાભ નામે
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy