________________
ભાવમાં આ ત્રણે ઉપાય તેમને સાવ સહેલા લાગ્યા. તેમણે પ્રથમ કપિલાદાસીને આજ્ઞા કરી અને જૈન મુનિને તે સદ્ભાવપૂર્વક ભિક્ષા આપે તેવી સમજ આપી.
દાસીના ભાગ્યમાં સુપાત્રે દાનનો પુણ્યયોગ થયો પણ દાસીને તેનું મૂલ્ય ન હતું. તેને તો થયું કે રાજાએ અન્ય કાર્યો બતાવવાને બદલે આ કેવું કાર્ય આપ્યું ? છતાં એ દાસી હતી એટલે રાજાની આજ્ઞા તો પાળવી રહી.
બીજા દિવસના પ્રભાતે મુનીશ્વર પધાર્યા છે. દાસી રાજાની આજ્ઞા પાળવા ખાતર ભિક્ષા આપે છે, પણ તે સમયે તેનો અસદ્ભાવ દર્શિત થઈ જાય છે. રાજા સમજી ગયો કે પ્રભુના કથન પ્રમાણે આ કાર્ય સિદ્ધ થયું નથી.
બીજો ઉપાય યોજવા કાલસૌરિકને બોલાવે છે. દાસીની જેમ આ ઉપાય નિષ્ફળ ન જાય તે માટે તે પ્રથમથી જ કાલસૌરિકને એક દિવસના વ્યાપાર જેટલું ધન આપી દે છે, અને વળી સાંજે બીજું ધન મળશે તેવી આશા આપીને જણાવે છે કે, તારે એક દિવસનો હિંસક વ્યાપાર બંધ કરવાનો છે. અશુભનો યોગ પામેલો તે જીવ અહિંસા શું તે કેવી રીતે જાણે ? તેને આ વાત કપરી લાગી, છતાં રાજાજ્ઞા પાળવી રહી !
રાજાએ પૂરી સાવચેતીથી કાર્ય સિદ્ધ કરવા માટે ચોકી ગોઠવી. તેને એક અવાવરુ કૂવામાં ઉતારી દીધો. કાલસૌરિકને તો એક પળ પહાડ જેવી થઈ પડી. છેવટે સંસ્કાર બળે બુદ્ધિ લડાવી અને કૂવાની ભીંત પર તે પાડા ચીતરતો ગયો અને માનસિક વૃત્તિથી મારતો ગયો. રોજ જેટલી સંખ્યામાં પાડાની હિંસા થતી તેના કરતાં ચીતરીને વધ કરેલા પાડાની સંખ્યા, માનસિક હિંસા વડે, વિશેષ પ્રમાણમાં થઈ.
સાંજ પડયે તેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો. કાર્યસિદ્ધિની આશામાં રાજા બેઠા છે. કાલસૌરિકને તેમની સમક્ષ હાજર કરવામાં આવ્યો. રાજાએ તેના ખબર પૂછયા કે, “કૂવામાં કંઈ અસુખ થયું ન હતું ને ?' કાલસૌરિકે જવાબ આપ્યો
:
“હે રાજા ! આપની કૃપાથી દુઃખ તો કંઈ ન હતું પણ કૂવામાં
૭૬