________________
જીવનની કોઈ અશુભ ઘડી ઉદયમાં આવી અને તેના હાથે અશુભ ઘટના ઘટી. શિકારે નીકળેલા રાજાએ હિંસા કરી, તેમાં આનંદ માણ્યો. તે પળે ભાવિ ગતિના આયુષ્યનું બંધન નિયત થઈ ચૂક્યું. રાજા હજી અજ્ઞાનદશામાં છે, તે આની ભયંકરતાથી અપરિચિત છે, કારણ કે હજી તેને જ્ઞાનીનો સંગ થયો નથી.
વણથંભ્યો સમય પસાર થઈ રહ્યો છે. યોગાનુયોગ રાજા ભગવાન શ્રી મહાવીરના ચરણનો ઉપાસક બને છે. ભક્તિના રંગે રંગાયેલો રાજા સત્સંગનું સુખ માણી રહ્યો છે, ત્યાં પ્રશ્ન ઉદ્ભવે છે કે મને પરમાત્મા તો મળ્યા, પણ હવે પછીની મારી શું ગતિ છે તે તો જાણી લઉં !
ભગવાનને વંદન કરી વિન્યાન્વિત થઈ રાજા પ્રશ્ન પૂછે છે : “પ્રભુ ! હવે પછી મારી ગતિ શું છે ?’
પ્રત્યુત્તર તો કડવો હતો, પરંતુ રાજાનું કલ્યાણ તેમાં ચરિતાર્થ થવાનું હતું તેથી ભગવાને સહજ ભાવે પ્રત્યુત્તર આપ્યો : “હે રાજા! તમે હિંસાનંદની ઘડીએ નરકના આયુષ્યનો બંધ કર્યો છે.’’
એ શબ્દોનું શ્રવણ થતાં જ રાજાનું સમગ્ર અસ્તિત્વ હાલી ઊઠયું! “શું પ્રભુ આપના જેવા સમર્થ સ્વામીની છાયા પામ્યા છતાં આ જીવ નરકગામી થશે ? ના પ્રભુ, એમ ના હોય ! કોઈ ઉપાય યોજો; કૃપા કરી આ બંધન દૂર થવાનો માર્ગ દર્શાવો પ્રભુ !’'
ભગવાન તો સર્વજ્ઞ હતા. પ્રભુને રાજા સ્વયં બોધ પામે તેમ કરવું હતું. ભગવાને તેને ત્રણ ઉપાય બતાવ્યા અને કહ્યું કે જો એ ત્રણમાંથી એક પણ ઉપાય ફળીભૂત થશે તો તારી ગતિમાં પરિવર્તનની શકયતા છે.
“પ્રથમ ઉપાય તારી કપિલાદાસી જૈનમુનિને સદ્ભાવપૂર્વક ભિક્ષા આપે, બીજો ઉપાય કસાઈ કાલસૌરિક એક દિવસ હિંસાનું કાર્ય ત્રિયોગપૂર્વક બંધ રાખે અને ત્રીજો ઉપાય મહાશ્રાવક પૂણિયાજી તેમના એક સામાયિકનું ફળ તને આપે. આ ત્રણમાંથી જો એક કાર્ય થાય તો તારા નરકબંધમાં ફેરફારની સંભાવના છે.’ આમ રાજાનાં અંતરચક્ષુ જાગ્રત કરવા ભગવાને એના ઉપાયો દર્શાવ્યા.
ક્ષેણિકરાજા હજી ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા ન હતા. રાજાપણાના
૭૫